________________
૧૯૧ ધાર્યું, પણ એ તે પ્રજાના હકો પર ઘા થ હતો, અને એવા ઘા સહન કરવા હવે પ્રજા તૈયાર ન હતી.
જેમ્સ ગાદીએ આવીને પાર્લમેન્ટ મળતા પહેલાં જકાત ઉઘરાવવા માંડી. તેણે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને “અપ્રતિજ્ઞાગ્રાહી' (Dissenters) વિરુદ્ધના કાયદાને અમલ બંધ કર્યો. આથી ડેબી, ડૅન બની અને અને હજારો કેદીઓ છૂટયા. પાર્લમેન્ટના સભ્યો રાજાના ખુશામતીઆ હતા. તેઓ રાજનિષ્ઠા ખાતર આ બધું જોઈ રહ્યા.
આર્માઈલ અને મન્મથનાં બંડ : ઈ. સ. ૧૬૮૫. રાઈધરનું કાવતરું પકડાયા પછી વિહગ પક્ષના કેટલાક લોક હેલેન્ડ ગયા હતા. ચાર્લ્સને અનૌરસ પુત્ર ડયૂક ઑવ મન્મથ પણ ત્યાં હતો. હિગ લેકેએ તેને ઈગ્લેન્ડ આવી ગાદી લેવાનો આગ્રહ કર્યો. તેને એમ થયું કે પ્રોટેસ્ટન્ટ પ્રજા મને આદર આપશે. ડયૂક ઑવ આર્કાઈલનો પુત્ર મન્મથને સહાય આપવાને તૈયાર થયો. તેણે ટલેન્ડ જઈ બંડ જગાડવાનું વચન આપ્યું. પરંતુ પ્રતિજ્ઞાગ્રાહીઓએ તેમાં સામેલ થવાની ના પાડી. રાજાનું લશ્કર આઈલનો સામનો કરવા તૈયાર હતું. આર્થાઈલનું નાનું લશ્કર વીખરાઈ ગયું, અને તે કેદ પકડાયો. તેના હાથ બાંધી બંદુકવાળા સૈનિકોની વચમાં ચલાવીને તેને એડિનબરે લઈ જવામાં આવ્યો, ત્યાં તે તેના પિતાની પેઠે રાજદ્રોહીને તે જુઓ...
દરમિઆન મન્મથ ઈગ્લેન્ડમાં આવ્યો. તે રૂપાળો, મનહર, અને બહારથી વિનયી હતો. પ્રોટેસ્ટન્ટ ધર્મના પુનરુદ્ધારની આશાએ સંખ્યાબંધ ગામડીઆ તેને આવી મળ્યા. તેણે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જેમ્સને બીનહકદાર ઠરાવી પિતાને હક આગળ કર્યો. ટીન્ટન જઈને તેણે રાજાને ઈલ્કાબ ધારણ કર્યો, પણ તેને માત્ર હલકા વર્ગના લેકની સહાય હતી. પાદરીઓ અને આબરૂદાર ગૃહસ્થ પ્રોટેસ્ટન્ટ રાજકર્તા તરીકે મેરીને હક ગણતા હતા.
જન્મેર પાસે રાજાના સૈન્ય સાથે મન્મથનો ભેટો થયો. તેના સૈન્યમાં સામાન્ય ગામડીઆ, અભણ ખેડુતો, કારીગરે, મજુરે, અને પત્થરડા જેવા તાલીમ વિનાના માણસો હતાઃ ફક્ત એક કલાકની જીવલેણ લડાઈમાં હાર . ૧. આ યુદ્ધમાં બે પ્રસિદ્ધ પુરુષો જડેંન ચર્ચિલ અને ડેનિયલ ડીફે હતા.