________________
૧૬૧ દરબારમાં રાખવાની નાખુશી બતાવી. હેગમાં એક એલચીનું ખૂન થયું, અને ચાર્સના પુત્રનો હકદાર વારસ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો. મૅડિમાં પણ બીજો એક પ્રતિનિધિ માર્યો ગયો. દેશમાં આ નવા રાજ્યથી લેકે ખુશી ન હતા. ચાર્લ્સના મૃત્યુ પછી કઈ અજાણ્યા લેખકનું “રાજપ્રતિમા નામે પુસ્તક પ્રસિદ્ધ થયું. તેમાં રાજાના ગુણોનું ભારેભાર યશગાન હતું, અને તેના પર ગુજારેલાં સંકટનું મર્મવેધક ચિત્ર હતું. પાર્લામેન્ટ મના કર્યા છતાં લેકે ચેકબંધ વાંચે, વાંચીને રડે, અને નિસાસા નાખે. છેવટે ઑટલેન્ડમાં ચાર્લ્સ બીજાનો રાજા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો, અને આયલેન્ડમાં રાજાના પક્ષના કેટલાક માણસોએ અને કેથલિક પંથીઓએ મળીને ચાર્લ્સ બીજાને પોતાનું રાજ્ય મેળવવા માટે યુદ્ધ કરવાનું આમંત્રણ આપ્યું. આ પ્રમાણે બાહ્ય અને આંતર વિપત્તિઓથી ભય પામેલી પાર્લમેન્ટ વીખરાઈ જવાને બદલે ચાલુ રહેવાનું ઠરાવ્યું. દરમિઆન આયર્લેન્ડમાં લશ્કરની હાર થયાના અને બળવે થવાના સમાચાર આવ્યા.
આયલેન્ડ જોડે યુદ્ધઃ ૧૬૪૯. આ બળવાનાં કારણ સમજવા માટે થે પૂર્વ ઈતિહાસ જોઈએ. સ્ટેફ ચાલ્સને સર્વોપરિ બનાવનાની જે યોજના ઘડી હતી, તે તેણે આયર્લેન્ડમાં અમલમાં મૂકી. આથી ત્યાંની પ્રજામાં અસંતોષ ફેલાયે. પરંતુ કોના ભાર કે ચૂં કે ચાં કરે ? તેણે નેટ પરગણું જ કરવાની પેરવી કરી. આયલેન્ડની પ્રજા મુખ્યત્વે રેમન કેથલિક હતી, તેથી
રિટન અને પ્રેઅિટિરિયન પંથના લેકે પર તેમને અણપતીજ હતી. તેમને લાગ્યું કે એ પંથના લેકે કોનેટમાં વસે અને સર્વ અધિકાર તેમના હાથમાં જાય, તે તે લેકે ધર્મને નામે આયરિશને દુઃખ દેવામાં મણ રાખશે નહિ. આથી ઇ. સ. ૧૬૪૧માં ત્યાં બળવો થયા. તેમાં અનેક અંગ્રેજો અને એંટ લેકને સંહાર થયે, પણ લાંબી પાર્લમેન્ટે બળવો દબાવી દેવા લશ્કર તૈયાર કર્યું નહિ; કેમકે તેને ભય લાગ્યો કે કદાચ એ લશ્કરને રાજા હાથ કરી લઈ પાર્લમેન્ટની સામે ધરી દે. પ્રજાવિગ્રહ દરમિઆન * આયરિશ લેકે રાજાના પક્ષમાં રહ્યા, અને ચાર્સના મૃત્યુ પછી સર્વ પક્ષેએ
૧. કેટલાક માને છે કે પુસ્તકને કર્તા ચાટર્સ પોતે હતો. મિટનને તેને પ્રત્યુત્તર લખવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું.
૧૧