________________
પ્રકરણ ૪થું સૈન્યસત્તાક રાજ્ય: ઇ. સ. ૧૬૪–૧૬૬૦ ચાર્લ્સ ૧લાના મત મુજબ દેશમાં લશ્કરી સત્તા પ્રબળ થઈ ગઈ હતી. તેના મૃત્યુ પછીનાં દસ વર્ષમાં ઈંગ્લેન્ડમાં કોઈ પણ ચેક્સ રાજ્યબંધારણ ને હતું. સૈન્યની પ્રબળ સત્તાના જોરે એક માણસ દેશમાં ઘણી થઈ પડ્યો હતો. તેણે દરેક પ્રકારની મુશ્કેલીઓ વેઠીને પિતાનું પદ જાળવી રખ્યું. અલબત, તેણે દેશમાં શાન્તિ સ્થાપી, અને વ્યાપારઉદ્યોગ ખીલવી દેશની સંપત્તિ વધારવાના પ્રયત્ન કર્યો, પણ તેનું પરિણામ લાંબો વખત ટકયું નહિ. દેશમાં બે પક્ષ ઉભા થયા, અને તેમાં અનેક પ્રકારના ધાર્મિક અને રાજદ્વારી પેટાવિભાગ પડી ગયા. કેવેલે દેશમાં વ્યવસ્થા આણી રાજ્ય સ્થિર કરવાના પ્રયત્ન કર્યો, છતાં તે પણ ફાવ્યો નહિ; કેમકે પ્રજાને કઈ પણ પક્ષ તેની તરફ નહે.
સિન્યસત્તાક રાજ્ય તેની મુશ્કેલીઓઃ “પ્રાઈડના જુલાબ” પછી હુડી પાર્લમેન્ટને હસ્તક દેશનો કારભાર આવ્યું. તેણે પ્રજાસત્તાક રાજ્યનાં જાહેરનામાં પ્રસિદ્ધ કરી દીધાં. રાજપદ અને અમીરની સભાને નુકસાનકારક, નકામાં અને દેશની સ્વતંત્રતાનો નાશ કરનારાં કરાવી રદ કરવામાં આવ્યાં. ૪૧. સભ્યોની એક રાષ્ટ્રસભાને દેશનો કારભાર ચલાવવાની સત્તા મળી. તેના ઘણાખરા સભ્ય પાર્લમેન્ટના સભાસદો હતા. બ્રેડશે તેનો પ્રમુખ બ, અને પ્રસિદ્ધ પંડિત અને કવિ મિટન તેનો મંત્રી થયું. આ સભા પાર્લમેન્ટને જવાબદાર નહતી, એટલે “સમચ્છેદકે” (Levellers)ના નામથી ઓળખાતા સૈન્યના એક વિભાગને તે પસંદ પડી નહિ; જો કે તેઓ ફકળી ઊઠ્યા, પણ કોન્ટેલે તેમને દબાવી દીધા. - આ ઉપરાંત લેકને બીજી મુશ્કેલીઓ વેઠવાની હતી. ચાર્સના વધુથી. યુરોપ ખંડમાં એક પ્રકારને ભય ફેલાયો હતો. સર્વ રાજ્ય ભક્તસેનાના આ કૃત્યને અગ્ય અને રાક્ષસી ગણતાં હતાં. તેમણે આવા નામના પ્રજસત્તાક રાજ્યનો સવીકાર કરવા ના પાડી, અને ઈંગ્લેન્ડના એલચીને પિતાના