________________
પ્રકરણ ૮મું પ્રજાજીવનને વિકાસ
૧. પાર્લમેન્ટ ટયુડર વંશના રાજાઓ સ્વતંત્ર મિજાજના અને આ અખત્યાર ચલાવનારા હતા. તેઓ મરજીમાં આવે તેમ વર્તતા; તેમને પૂછનાર કોઈ ન હતું. સ્ટાર ચેમ્બર કેર્ટ સ્થાપી હેનરી ૭માએ ઉમરાવો કે પિતાની સામે થનાર હર કોઈને કચરી નાખ્યા. પાર્લમેન્ટની ગરજ ન પડે તે માટે તેણે અનેક ઉપાયે કામે લગાડ્યા. હેનરી માએ મનમાન્યા કાયદા કરી લોકે પાસે સ્વીકારાવ્યા. પાલમેન્ટ તેની મરજી પ્રમાણે ચાલતી. એડવર્ડના અમલમાં થએલા કાયદામાં ફેરફાર કરવાની મેરીની ઇચ્છા થઈ, એટલે પાર્લમેન્ટે તેની મરજી મુજબ કાયદા ફેરવી આપ્યા. આ પ્રમાણે પાર્લમેન્ટ છેક નિર્જીવ હતી. પ્લે નેટસમયમાં પાર્લામેન્ટ પ્રાપ્ત કરેલી સત્તા ચાલી ગઈ અને હવે તેને
હા જી હા” કરવાના દિવસો આવ્યા. ઈલિઝાબેથ સભ્યને ધનકાવતી, અને કડવાં વચને પણ સંભળાવતી. ટયુડરવંશી રાજાઓ પાર્લામેન્ટ પાસે ધારે તે કાયદા કરાવી બહારથી તેનું બંધન સ્વીકારતા. તે સમયમાં સભાસદોની વરણના હક આપવાનું કામ રાજાના હાથમાં હતું, એટલે રાજાઓ લાગવગ વાપરી પોતાના પક્ષમાં સભ્યો ચુંટાય તેની સંભાળ રાખતા. અમુક વખતે કામ માર્યું જશે એવો ભય લાગે, ત્યારે નવા સભાસદે ચૂંટવાને હક આપી રાજાઓ બહુમતી મેળવતા. ઇલિઝાબેથે એક પ્રસંગે ૬૨ નવા સભાસદો મેળવ્યા હતા. પાર્લમેન્ટ આ પ્રમાણે નિપ્રાણ અને નિષ્ટ થતી ગઈ. હેનરી ૧મે ગાદીએ આવ્યા ત્યારે દેશમાં અવ્યવસ્થા હતી, એટલે મન્મત્ત અમીરેનાં ત્રાસદાયક યુદ્ધોમાંથી પ્રજાને બચાવી દેશમાં શાન્તિ સ્થાપે, એવા કડક અમલની પ્રજાને જરૂર લાગી. ઈંગ્લેન્ડ નબળું હતું, શત્રુઓ તેના પર ટાંપી રહ્યા હતા, અને લોકોને પોતાના રક્ષણની જરૂર હતી. એ સમયે લોકોને પિતાના હકની પરવા ન હતી. છતાં ટયુડર રાજાએ ચતુર અને સમયને ઓળખનાર હતા. તેઓ પિતાનું ધાર્યું કરતા, પણ પાર્લમેન્ટ પાસે બધું