________________
૧૧૭
ઈચ્છાથી દરઆઈ સફરે નીકળ્યા. હંફ્રી ગિલ્બર્ટે ન્યૂફાઉન્ડલેન્ડમાં સંસ્થાન વસાવવાના વિચાર કર્યાં, પણ ત્યાંની વેરાન જમીન, ભેજવાળી હવા, અને અતિશય ઠંડીથી સંસ્થાનવાસીએ ત્યાંથી જતા રહ્યા. પાછા વળતાં રસ્તામાં ભયંકર તાકાત નડ્યાં, છતાં ગિલ્બર્ટ પેાતાનાં માણસાના ઉત્સાહ જાળવવાના પ્રયત્ન કરતા. ઘૂઘવાટ કરતાં મે અને તેાફાની પવનમાં સંભળાય એવા અવાજે તે કહેતા, કે “દોસ્તા ! ધીરજ રાખા ! સ્વર્ગ તે જમીનથી જેટલું નજીક છે, એટલુંજ સમુદ્રથી પણુ છે.”
વાલ્ટર રેલીએ અમેરિકામાં સંસ્થાન સ્થાપી અવિવાહિત ઇલિઝાબેથના સ્મરણાર્થે તેનું નામ ‘ર્જિનિઆ ’ પાડયું. પરંતુ ઇન્ડિઅને વારંવાર હલ્લા કરતા, અને સંસ્થાનવાસીને મારી નાખતા, એટલે થાડા સમય પછી બચેલા માણસે ઈંગ્લેન્ડ પાછા ગયા. અહીંથી રેલી તમાકુ અને બટાટાના છેડ ઈંગ્લેન્ડ લઈ ગયેા. જો કે દરિયાપારના મુલકામાં સંસ્થાને સ્થાપવામાં નિષ્ફળતા મળી, પણ એ વિચાર પ્રજાના હૃદયમાં કાયમને માટે વસી ગયા, એટલે ભવિષ્યમાં તેને અમલ થયેા. સારાંશ કે—
૧. સુધારક અંગ્રેજે અને કેથેાલિક સ્પેનિઆર્ટા વચ્ચે દુશ્મનાવટ થઈ; કેમકે અંગ્રેજો નવી દુનિયા જોડે વેપાર કરે, એ સ્પેનિઆર્ડને ગમતું ન હતું.
૨. સમુદ્રની સફરો અને દરઆઈ યુદ્ધોથી અંગ્રેજોને જે તાલીમ મળી, તે સ્પેનના નૌકાસૈન્યને હરાવવામાં ખહુ ઉપયોગી થઈ પડી.
૩. હાર્કિન્સે અને ડ્રેકે સ્પેનિઆર્ડા પર અમેરિકામાં હુમલા કર્યા. હૅક પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પહેલો અંગ્રેજ હતા. (ઈ. સ. ૧૫૭૭–૮૦)
૪. ક્રોખિશરે હિંદુસ્તાન આવવાનો વાયવ્ય માર્ગ શોધવાનો અને બીજા એક વહાણવટીએ ઈશાન માર્ગ શેાધવાનો પ્રયત્ન કર્યા.
૫. સર હંફ્રી ગિલ્બર્ટ અને વાલ્ટર રેલીએ સંસ્થાનો સ્થાપવા પ્રયત્ન કર્યા, પણ સંસ્થાનવાસીઓને સખત કામ કરવાની ટેવ નહેાતી, અને રેડ ઇન્ડિઅનો જોડે લડવા જેટલી તેમનામાં શક્તિ નહાતી, એટલે તે સંસ્થાનો સ્થાપી શક્યા નહિ.