SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદની સહિતાઓ [ ૧૦૦ પરિણામે હું એવા નિર્ણય ઉપર આવ્યેા છું કે સરકસ હિતાનાં દાર્શનિક પ્રકરણે વૈશેષિકસૂત્ર પછી અને સાંખ્યકારિકા તથા ધણું કરી ન્યાયદર્શન પહેલાં ઈ. સ.ના પહેલા શતકમાં રચાયાં છે, અને સુશ્રુતનું દાČનિક પ્રકરણુ સાંખ્યકારિકા . પછી. સાંખ્યકારિકાને સમય સૌંદિગ્ધ છે, પણ ઈ. સ. ખસેાની આસપાસમાં તે રચાયું છે. સવૃત્તસંબંધી ચરકનું પ્રકરણ સુશ્રુતના એ પ્રકરણુ કરતાં પ્રાચીનતર છે એ ચાક્કસ. સુશ્રુત માટે ભાગે મનુસ્મૃતિને અનુસરે છે. વળી ચક્ર—સુશ્રુત ઉપનયનવિધિ તથા અધ્યયન-અધ્યાપન અને અનઘ્યાયના દિવસે। જેવા નિયમોની ખાખતમાં ધ શાસ્ત્રને અનુસરે છે અને સ્પષ્ટ શબ્દમાં એને અનુસરવું જોઈ એ એમ કહે છે.૧ ખીજી તરફથી હ°લ જેને આત્રેય સંપ્રદાયની અસ્થિગણુના કહે છે તે ચરકાક્ત અસ્થિગણુનાને પાઠ યાજ્ઞવલ્કયસ્મૃતિ અને વિષ્ણુસ્મૃતિમાં મળે છે.૨ યાજ્ઞવલ્કયને સંચારી (ચેપી) રાગની ખબર છે ( અ. ૧, શ્લા. ૫૪). મતલબ કે સુશ્રુતથી પણ એ સ્મૃતિકાર પરિચિત છે. યાજ્ઞવલ્કયસ્મૃતિને સમય ઈ. સ. ચોથું શતક ગણાય છે, અને વિષ્ણુસ્મૃતિના સમય કદાચ એથી ઘેાડા વહેલા હાય.૩ પ્રાચીન સંસ્કૃત સાહિત્યતી આથી વધાયે સરખામણી કરવાની જરૂર નથી લાગતી, પણ વ્યાકરણસાહિત્યમાંથી મળી આવેલ એક ઉલ્લેખ અહી. તેાંધવાયેાગ્ય છે. કાશિકાવૃત્તિ ( ૮-૪-૬ )માં વનસ્પતિ, વૃક્ષ, આધિ વગેરેનાં લક્ષણા આપ્યાં છે તે ચરાક્ત ( સૂ. અ. ૧, શ્લા. ૭૨ )ને મળતાં છે એટલું જ નહિ, પણુ ઓષધ્ય: જાત્રાન્તા: એ શબ્દો તેા કાશિકાકારે ચરકમાંથી જ ૧, જીએ સુશ્રુત સૂ. અ. ૨, શ્લા, ૯-૧૦, ૨. હલનું - સ્ટડીઝ ઇન ધી મેડિસિન ઑફ એન્શ્યન્ટ ઇંડિયા ’, ૫. ૪૦-૪૧ વગેરે. ૩. મેકડોનલનું ‘ સૉંસ્કૃત લિટરેચર', પૃ. ૪૨૮-૨૯.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy