SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧] આયુર્વેદને ઈતિહાસ છતાં વાયુપુરાણનાં કેટલાંક વાક્યો સુકૃતના પાઠને એવી નિકટતાથી અનુસરે છે કે સુશ્રુતમાંથી ઉતારે કર્યો છે એમ જ માનવું પડે. આ મતના પિષક બીજા દાખલા પણ વાયુપુરાણમાંથી મળે છે. વાયુપુરાણ (અ. ૧૭)માં રસમાંથી રક્ત, રક્તમાંથી માંસ વગેરે રસાદિ ધાતુએને ઉત્પત્તિક્રમ આપ્યો છે તે સુશ્રુતને અનુસરીને છે. વાયુપુરાણના ઉપરના જ પ્રસંગનું એક વચન સ્પષ્ટ રીતે ભેળસંહિતાને અનુસરે છે. છેવટ કલિવર્ણનમાં વાયુપુરાણમાં “સોળ વર્ષથી ઓછી ઉમરની સ્ત્રીઓને યુગક્ષયમાં પ્રસૂતિ થશે” એમ જે કહ્યું છે તે સ્પષ્ટ રીતે સુશ્રુતના “સેળ વર્ષથી ઓછી ઉમરની સ્ત્રીમાં ગર્ભાધાન કરે તો એ ગર્ભ કૂખનાં જ નાશ પામે છે” એ શબ્દોને યાદ કરીને કહ્યું છે. ટૂંકામાં વાયુપુરાણુને ચરક, સુશ્રુત અને ભેલ ત્રણેયની ખબર છે. અગ્નિપુરાણમાં ઘણું શાસ્ત્રની વાતને સંગ્રહ હાઈને આયુર્વેદની પણ કેટલીક વાતોને સંગ્રહ છે, પણ એ પુરાણું પાછલા કાળનું હેઈને એમાં આયુર્વેદના ગ્રમાંથી ઉતારા સ્વાભાવિક છે. આયુર્વેદ અને દર્શને તથા ધર્મશાસ્ત્રો न्यायधना मत्रायुर्वेदप्रामाण्यवच्च तत्प्रामाण्यमाप्तप्रामाण्यात् ( ન્યાયસૂત્ર, અ. ૨, સૂ. ૬૮) એ વચન ઉપરથી એના વખતમાં આયુર્વેદના એક કે વધારે ગ્રંથે હેવાનું અનુમાન થઈ શકે. પણ ધર્મશાસ્ત્રો અને દર્શનના વિચારોની આયુર્વેદ ઉપરની અસરને મેં અન્યત્ર સવિસ્તર વિચાર કર્યો છે અને એ વિચારને ૧. એજન, પૃ. ૯૪–૯૫. ૨. એજન, પૃ. ૯૬. ૩. જુઓ વાયુપુરાણ, અ. ૫૮, ૫૮ તથા સુશ્રત, શા. અ. ૧૦. ૪. જુઓ મારું “આયુર્વેદના દાર્શનિક તથા સત્ત સંબંધી પ્રકરણેને અભ્યાસ.”
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy