SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ] આયુર્વેદના ઇતિહાસ પણ જે આયુર્વેદમાંથી પ્રીતિકારક યોગા જાણવાનું કામશાસ્ત્રકાર કહે છે તે આયુર્વે† એટલે ચરક-સુશ્રુતની સંહિતા જ કે કાઈ ખીજા ગ્રન્થા, એ નક્કી કહેવું મુશ્કેલ છે. અન્યત્ર સીર્યવિાના. દિક્ષાંસાવિ વૈદ્યને ( એજન ૨–૨) એ રીતે વૈદ્યક શબ્દ વાપર્યોં છે અને આયુર્વેદની વિશિષ્ટ પરિભાષાને પરિચય બતાવ્યા છે. પણુ સૌથી વિશેષ તા કામશાસ્ત્રનું છેલ્લું ઔપનિષદ અધિકરણ, જેમાં વૃષ્ય યોગા છે, તે ચરક-સુશ્રુતના વાજીકરણ ચાંગા સાથે સરખાવવા ચેાગ્ય છે. પ્રાચીનતર વાજીકરણતામાંથી ચરક-સુશ્રુતમાં તેમ જ કામસૂત્રમાં સરખા ઉતારા કરવામાં આવ્યેા હાય તે સંભવિત છે. પણ અમુક ત્રણેક યોગાની ખાખતમાં એ ચરક-સુશ્રુતમાંથી જ ઉતાર્યાં હાય એટલું બધું મળતાપણું છે. કામસૂત્રમાં વશીકરણુ માટે પણ આયુર્વે પ્રસિદ્ધ ધતૂરા, મરી, પીપર, થાર, મહુશીલ, વજ, ખેરસાર, નગડ, ભાંગરા વગેરે ઔષધેા વાપરેલ છે. અભ્યંજન અને સુભગકરણમાં પણ આયુર્વેદપ્રસિદ્ધ બ્યા જ કામસૂત્રકારે વાપર્યાં છે. મહાભારત, પુરાણુ અને આયુર્વેદ મહાભારતને આયુર્વેદની ખબર છે. આયુર્વેદનાં આઠે અંગા હેાવાની પણ ભારતને ખબર છે. વૈદ્યકના ઉપદેશક તરીકે કૃષ્ણાત્રેયના ઉલ્લેખ મહાભારતમાં મળે છે.૪ એ ઉપરથી આત્રેયના ૧. જીએ ‘આયુર્વેદ વિજ્ઞાન', પુ. ૨૧, પૃ. ૨૫૩ માં · આયુર્વેČદ અને કામશાસ્ર ' નામના મારા લેખ, જેમાં પૂરા ઉતારા કરીને સરખામણી કરી છે. ૨. આયુર્વેવિત્તમંત્રિધાતું માં પ્રક્ષતે । —મહા. શાન્તિપ, અ. ૧૩૭ 3. कच्चित्ते कुशला वैद्या अष्टांगे च चिकित्सिते । ૪. જુઓ ઉપર, પૃ. ૬૪, —મહા. સભાપર્વ, અ. ૩૫
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy