SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સુધારણું–ની બાબત આપણને પૂરેપુરી સમજાઈ જશે. જર્મનિમાં લ્યુથરને ને સ્વિટ્ઝર્વડમાં ઝલિંગલેને ચર્ચની વ્યવસ્થામાં ને ધર્મના સિદ્ધાંતમાં પણ ફેરફારો કરવા હતા. હેનરિ આ વિષય ઉપર દુર્લક્ષ આપવા માગતા હત; તેથી તેણે ઈગ્લેંડના ચર્ચની વ્યવસ્થા લગભગ આગળ જેવી જ રાખી–માત્ર તેમાંથી પિપની સત્તાને પિતાને હસ્તક કરી અને ઇંગ્લંડને રમના અંકુશથી સ્વતંત્ર બનાવ્યું. જર્મનિમાં ખેડુતોના બળવાથી રાજા ને બીજા લોકો ચમકયા ને તેમણે લ્યુથરની ચળવળના બીજા ઉદ્દેશને સ્વીકારવા ઉમંગ બતાવ્યું નહિ. હેનરિએ ચર્ચના અધિકારીઓની સત્તાઓ લઈ લીધી ને તેમની જમીને પણ ખાલસા કરી. આ વિષયમાં રાજાને બે જણાઓએ ખાસ મદદ કરી–ટોમસ કૅન્મરે, ને ટૉમસ ક્રોમ્બેલે. કૅન્સર વિદ્વાન તથા શાંત માણસ હત; ક્રોમવેલ લૂઝીને સેક્રેટરીમંત્રી હતા ને તે મુત્સદીના મરણ પછી હેન રિને મુખ્ય સલાહકાર થયો હતે. કેથેરાઈનના પરિત્યાગને સવાલ ચર્ચના સવાલમાં ઘણે ઉપયોગી બને. ઇ. સ. ૧૫૩૨માં રાજા ઍન બેલીન સાથે ખાનગી રીતે પરણ્યા. જ્યારે તેણે પહેલી રાણીને પરિત્યાગ (divorce) કર્યો ત્યારે રેમના પપે રાણીના લાભમાં ચુકાદો આપ્યો. હેન રિ ને પિપ હવે એકદમ સામસામા આવી ગયા. રાણી કેથેરાઈન ઇ. સ. ૧૫૩૬માં મરી ગઈ. પાલમેંટ અને ચર્ચની જુની ઘટનાને નાશ, ઈ. સ. ૧૫૯૧૫૪૭–અત્યાર સુધી ચર્ચ લોકો પાસેથી નાણાનું ઉઘરાણું કરવું તે હવે બંધ કરવામાં આવ્યું. કલજિ હવે માત્ર એક જ ઠેકાણે છવાઈ (Benefices) ભોગવી શકે ને છવાઈ ઉપર તેમણે રહેવું જોઈએ એમ ઠરાવવામાં આવ્યું. પિપની સત્તા નીચે કલજિ અત્યાર સુધી રહ્યા હતા તે માટે પાર્લમેટે તેમને ગુન્હેગાર ઠરાવ્યા ને તેમની પાસેથી મોટો દંડ વસુલ કર્યો. પાર્લમેંટે રાજાને ઈંગ્લંડના ચર્ચને મુખ્ય અધિકારી ને સંરક્ષક (Protector and only Supreme Head of the Church and clergy in England) બનાવ્યું. ઈ. સ. ૧૫૩૨માં પાર્લમેટે બીજા નવા કાયદાઓ ઘડ્યા ને ઈંગ્લંડના કલર્જિન અને પિપને નાણું
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy