SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ • મોટા મેોટા મઠો હતા, ને તે મઠો (Monasteries) ના ભિક્ષુઓ (Abbots) પણ એવી જાહે।જલાલી ભોગવતા હતા. આ લેાકેા પૈસા લઈ ધર્મને વેચતા. જે લોકા વધારે પૈસા આપે તે લોકો પાપથી મુક્ત થઈ શકે છે એવા ઉપદેશ તેઓ કરતા ને નામાંકિત ખ્રિસ્તી સંતાનાં અવશેષો તે ચિત્રાની તેઓએ અસંખ્ય દુકાને કાઢી હતી. લોકો તે સંધના માણસા ખરા ખ્રિસ્તી ધર્મ ભૂલી ગયા હતા. કાલેટ, ઈ રેઝ્મસ, સર ટામસ રે, વગેરે વિદ્વાનોએ અને સુધારકોએ ખરા ખ્રિસ્તી ધર્મ પ્રમાણે રહેણીકરણી રાખવાને માટે ધર્માધિકારીઓને સૂચવ્યું હતું પણ તેનું જોઈ એ તેવું પરિણામ આવ્યું નહતું. અલબત, યુરોપના કરતાં ઈંગ્લેંડના ચર્ચની વ્યવસ્થા સારી હતી. ચર્ચના માણસે રાજ્યમાં ખાસ અધિકારો ભેગવતા. ગમે તે માણુસ રાજ્યના કાયદાને વશ ન થતાં ચર્ચનું રક્ષણ શોધી શકતા, જે Right of Sanctuary કહેવાતા. ચર્ચનાં માણસા સામે રાજાની અદાલતામાં કામ ચલાવી શકાતું નહિ; તેમના પાસેથી રાજ્ય કર ઉધરાવી શકતું નહિ. રાજ્યની જમીનના મોટા ભાગ તેમના કમજામાં હતા. તેમને દેશાવરના રાજાની અને ખાસ કરીને પાપની સત્તાનું શરણુ મળી શકતું; રાજાના કાયદા સામે તેઓ પેપની પાસે અપીલ લઈ જઈ શકતા. યુરેાપના કોઈ પણ દેશના રાજા સ્વતંત્ર રાજા નહાતા, કારણ કે તેના અધિકારોના ભાગવટામાં પાપ વચ્ચે આવી શકતા. લોકોની કમાણીના મોટા ભાગ પણ પોપને જતા. મરણ વખતે લેાકેાને પાપને પૈસા આપવા પડતા. તેમની કમાણીના દસમા ભાગ પણ ચર્ચને જતા. વસીઅતનામા ઉપર તે વારસા ઉપર પણ ચર્ચને ખૂબ ધન મળતું. સુધારણા માટે બૂમ; માર્ટિન લ્યુથર—ખ્રિસ્તી ચર્ચની આવી જરીપુરાણી વ્યવસ્થાના નાશ હવે પાસે આવ્યા હતા; તેને માટે બધી # આવા ધતીંગેા સામે હેરિએ કહ્યું કેઃ—The lives of Christ and Pope are very opposite and therefore to follow the Pope is to forsake Christ.
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy