SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગર દતિહાસ (ષોડષી કળા) ૩૫૦ હિંદના તમામ રાજવિઓ તરફથી સુધારાની યોજના દાખલ કરવા માટે જે ચાર રાજાએ ચુંટવામાં આવ્યા હતા, તેમાં નામદાર મહારાજા જામ સાહેબ પણ હતા. અને જે સુધારાની પેજના તેઓએ સુચવી તે રાઇટ એન. , એસ, મેન્ટેગ્ય અને લોર્ડ ચેમ્સફર્ડ કબુલ રાખી હતી, અને તે સુધારાઓ મેન્ટેગ્યુ ચેમ્સફડ રિપોર્ટને એક અગત્યના પ્રકરણમાં ઉપયોગી થયા. ઈ. સં. ૧૯૨૦માં નામદાર સરકાર તરફથી રાજાઓના પ્રતિનિધિ તરીકે “જીનીવામાં લીગ ઓફ નેશનના પ્રથમ અધિવેશનમાં તેઓ નામદારને આમંત્રણ કરવામાં આવતાં તેઓ નામદારે હાજરી આપી વિજય મેળવ્યો હતો, ઇ. સં. ૧૯૨૧માં નામદાર શહેનશાહની વતી ડયુક ઑફ કનૌટે ચેમ્બર ઑફ પ્રીન્સીસની જે સભા ખુલ્લી મુકવાની ક્રિયા કરી હતી. તેમાં તેઓશ્રીએ હાજરી આપી હતી. અને ૧૯૨૨માં નામદાર પ્રસ ઑફ વેલસને દિલહીમાં માનપત્ર આપવાની ક્રિયામાં ભાગ લીધો હતો, ઇ, સ, ૧૯૨૨ અને ૧૯૨૩ની લીગ ઓફ નેશનની બેઠકમાં નામદાર મહારાજાશ્રીને ફરી આમંત્રણ કરવામાં આવ્યું હતું, અને તેમાં પણ તેઓ નામદારને સુયશ પ્રાપ્ત થયા હતા. ઈ. સ. ૧૯૩૦ અને ૩૧માં જ્યારે ઈગ્લાંડમાં રાઉન્ટેબલ કોન્ફરન્સમાં સભાસદ તરીકે તેઓ નામદાર હતા. ત્યારે પિતાની કુશાગ્ર બુદ્ધિથી અને એકાગ્રતાથી. તે વખતની ચર્ચા કે જેમાંથી ફેડરેશનની યોજનાનો જન્મ થયો. તે સમજી શકયા હતા. તેથી આવી દેજના પાર પડે તો શું મુશીબતો વેઠવી પડશે તે બીજી કેઈપણ વ્યકિત કરતાં તેઓશ્રી વધારે સમજી શકતા, અને એ ઘુંચવાડા ભરેલે કોયડા ઉકેલવાને તેઓશ્રીએ તન, મન, ધન અને પોતાનું જીવન બીજાઓના હિત ખાતર સમ પણ કરવામાં જરાપણુ આંચકે ખાધે નથી. એd સ્ટ, દ્વારકા રેલવે થવાથી સ્ટેટમાં તૈયાર થયેલ માલ રેલવે રસ્તે - ઓખામંદિર દ્વારા પરદેશ જવા લાગ્યો. તેથી તેની જકાત વિગેરે પરરાજ્યમાં રહેતાં ઉલટું અન્ય રાજ્યને ઉપજ કરી આપવા જેવું થયું. તેથૈ ખુદાવિંદ મહારાજાસાહેબે બેડીબંદર તૈયાર કરવા માટે સરકારના દરઆઇ લશ્કરના જુના અધિકારી કેપ્ટન બર્નસાહેબને નિમ્યા. મહારાજા જામસાહેબ તથા કેપ્ટન બોન રાતદિવસ એ બંદર સુધારી તૈયાર કરવામાં અથાક મહેનત લેવા લાગ્યા અને પિતાની બધી શકિતને ઉપયોગ એજ કાર્યની પાછળ કસ્વા લાગ્યા ત્યાં ૧૦૦૦ ફીટ લાંબે ફડદો છે, જ્યાં રેલ્વેની સાઇડીંગે પણ ઘણું છે, તેમજ બીજે જગતજીત ડોક નામે ફડદો બાંધવામાં આવેલ છે, ત્યાં ગમે તેવડી મોટી સ્ટીમરે પણ ભરતીની જરૂર વગર આવી પહોંચે (૨૫૦૦ ટન જેવડી સ્ટીમરો સહિત) જામનગર અને કંડલા વચ્ચે એક દેખાવડી નવી સ્ટીમર કચ્છના ઉતારૂઓ અને ટપાલ લઈ જવા માટે દેડે છે. તેમજ બીજી સ્ટીમર
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy