________________
૧૨ મું.
૧૯૨૧ની યાદ સત્યાગ્રહ ઉપર મુંબઈ પ્રેસિડેસી એસોસિયેશનની પસંદગીનો સિક્કો નહાતા જોઈત, તેમને તે ન્યાય જોઈતું હતું. પ્રેસિડેસી ઍસોસિયેશને પિતાની રીતે બારડોલી માટે ન્યાય માગે.
પણ સરકારે આથી ચેતવાની ના પાડી. સરકારે તે પિતાને કક્કો ખરો છે એ જ મનાવવાના મિથ્યા પ્રયત્ન શરૂ કર્યા. ધારાસભામાં કોઈને આમ સમજાવ્યા, કેાઈને તેમ સમજાવ્યા, અને મિ. નરીમાનના ઠરાવ વિરુદ્ધ ૪૪ મત મેળવ્યા તેની સરકારે ઠેરઠેર જાહેરખબર એડવા માંડી. ધારાસભાના ભારે બહુમતથી થયેલા ૧૯૨૪ અને ૧૯૨૭ના ઠરાવોને ગળી જનારી સરકાર આજે ધારાસભાને અડિંગીને પિતાને કકકે ખરે છે એમ સિદ્ધ કરવા મંડી. એ જાહેરખબર સમજાવવામાં જૂઠાણાંનો આશ્રય લેવામાં પણ નાના અમલદારે ચૂકતા નહોતાં.
રાજા અને પ્રજાના લડતના રસ્તા ન્યારા રહ્યા. એક બાજુ લડતમાં બધું થઈ શકે એ ન્યાયથી સરકાર લડે છે, બીજી બાજુ ગમે તે સંજોગોમાં પણ ખોટું ન થાય એ ધ્રુવતારાને વળગી શરી પ્રજા લડે છે. સરકારના આડતિયાઓની જાહેરમાં કામ કરવાની હિંમત શેની ચાલે? માત્ર કાયદા પ્રમાણે જપ્તી તે જાહેરમાં જ થઈ શકે, એટલે તેટલું જાહેર કરવામાં આવે. બાકી લોકેને ફેલાવવા, ફડવાના પ્રયત્ન કરવા, ધમકીઓ આપવી, ખોટી સમજ પાડવી એ જ તેમના માનીતાં સાધન. “ફલાણું ભાઈએ પૈસા ભરી દીધા, તમે કેમ હજી બેઠા છો, હવે તો ભર્યો જ છૂટકે,” કહીને તેઓ ભોળી રાનીપરજને ભોળવે. મહાલકરી પટેલને કહે,
વેઠિયાઓ ન લાવી આપે તો તારે વેઠ કરવી પડશે.” કઈ તલાટી બિચારા ધાબીના હપ્તાના થોડા આના પિતાના ખિસ્સામાંથી ભરી દે–એ આશાએ કે પેલાની પાસે કપડાં ધોવડાવીને તેટલું તો વસૂલ થશે.
આથી ઊલટું પ્રજાના રસ્તા ન્યારા હતા. પ્રજાની એકે પ્રવૃત્તિ ચોરીછુપીથી થતી નહોતી – ભાષણો થાય તો સરકારને રિપોર્ટ મળે તે પહેલાં છપાય, લોકોને ધોળે દહાડે સમજાવવામાં આવે, સભામાં સરકારી લોકોને પણ આમંત્રણ આપવામાં આવે. .
૮૫