SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ નાદીરશાહીલોકોમાં એવું બળ આવ્યું કે બાબર દેવો ભાગતો ફરવા લાગ્યો.” આ બળ ગરીબડી રાનીપરજ કામમાં આવવા લાગ્યું. એકરાનીપરજ પટેલે મહાલકરીને જપ્તીમાં મદદ કરવાની ઘસીને ના પાડીને કહ્યું, “મારી પાસે પટાવાળા કે વેઠિયા નથી. હું શું કરું ?” છાવણીઓમાં રોજરોજ સ્વયંસેવક વધતા જતા હતા. બામણીની દરબાર સાહેબની છાવણી દરબારને શોભે એવી હતી.. એક સજ્જને પિતાનું રાચરચીલાવાળું ઘર તેમને સેપ્યું હતું, સાયંકાળે ત્યાં “નવજીવન,” “આત્મકથા,' “પત્રિકાઓ,” વલ્લભભાઈ સાહેબનાં ભાષણ વંચાય, પ્રાર્થના થાય, અને મોડા મોડા રાત્રે લોકો છૂટા પડે. ફૂલચંદભાઈનાં ભજનથી રસ જામે તે જુદો.. આ “દરબારી” છાવણની વાત થઈ. ગરીબની છાવણીમાં ગરીબને છાજે એવો ઠાઠ રહે. જુવારની કડબ અને પરાળનાં છાયેલાં છાપરાંમાં બાલદાની છાવણ હતી. પણ ત્યાં પણ રંગ તો બીજી છાવણી જેટલો જ જામત. વાલોડના બીજા જે વણિક સજજન આજ સુધી પશ્ચાત્તાપ કર્યા વિના બેઠા હતા તેમને હવે પશ્ચાત્તાપ થયો અને તેમણે રૂ. ૬૫૧નું દાન પ્રાયશ્ચિત્તરૂપે કર્યું. આ અને એવા દાખલાઓથી લોકો. કંઈક હદ ઓળંગવા લાગ્યા. બહિષ્કારનું શસ્ત્ર જ એવું છે કે જેમાં હદ ચાતરવાનો ભય હમેશાં રહે છે. તેમાં બારડોલીના કે જેમણે પિતામાં રહેલા બળને આ પહેલી જ વાર અનુભવ કર્યો હતો તેનું શું પૂછવું ? અત્યાર સુધી “કડદને કાળા ડાઘ” તાલુકાને નામે શીરૂપ હતો. કડોદ લડતમાં નહોતું જોડાયું એટલું જ નહિ પણ ત્યાંના પૈસા ભરી દેનારા શ્રીમંત બીજાને સતાવતા પણ ખરા. તેઓ પોતાના ગામની પોતાની જમીનનું જ નહિ પણ બહારગામની જમીનનું મહેસૂલ પણ કટકે કટકે, લોકોને સતાવવાની ખાતર જ જાણે, ભયે જતા હતા. આવા માણસોની જમીન ગણોતે કદી ન ખેડવાનો ઠરાવ કરવાને માટે આસપાસના ગામના ખેડૂતની સભા ભળી. તેને ત્યાં મજૂરોને કામ કરવા * ન જવા દેવાને પણ ઠરાવ વિચારમાં આવ્યો, અને કડાદ ઠેકાણે ન આવે ત્યાં સુધી આખા કડાદની સાથે અસહકાર ૭૭
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy