SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ પ્રકરણ અથવા જાજ મહેસૂલે મળતા ત્યારે ખેડૂત ધણાં ઢેર રાખી શકતા, અને ઢારની સ્થિતિ પણ બહુ સારી હતી. આજે ચરણની સારી પેઠે કિંમત આપવી પડે છે અને પરિણામે ઢારની સ્થિતિ ખેડૂત જેવી થવા એડી છે. જો મહેલ આકરું હાય તેા ખેડૂત જમીન કેમ નથી છેડી દેતા એમ મિ. અંડન પૂછે છે, પણ એણે પેાતે જ શ્રી. જયકરના રિપેટ ઉપર કરેલી પેાતાની ટીકામાં લખ્યું હતું તે આ વેળા એ. ભૂલી ગયા હતા : બધા આંકડા ઉપરથી એ અનુમાન ઉપર આવી શકાય છે કે ૧૮૯૬માં તાલુકામાં વધારે પડતા મહેસૂલને દર હતા અથવા તે નાના છેક ૫૦ ટકા જેટલેા દર હતા. આ આંકરા દર છતાં ખેડૂત જમીન કેમ નથી છેડી દેતા એને જવાબ તે! એ જ હોઈ શકે કે બ્રિટિશ રાજ ભૂંડું છે એમ જાણતા છતાં, અથવા મિ. અંડન અને જયકર જેવા રેઢિયાળ અમલદારા હાવા ન જોઈએ એમ જાણતાં હતાં, ખેડૂત બ્રિટિશ રાજને અને પેલા રઢિયાળ અમલદારને નભાવી લે છે. ખેડૂત આકરા દર છતાં જમીનને વળગી રહે છે કારણ તેની પાસે બીજું સાધન નથી, અને જમીનમાંથી પૂરતું પેદા નથી થતું છતાં જમીન છેડતા નથી તેનું કારણ તેા સત્યાગ્રહની લડત દરમ્યાન સરકાર તરફથી. કાગળે। લખનાર મિ. માથે પોતે જ આપેલું છે. ૧૯૨૪માં ખેડાના કલેક્ટર તરીકે એણે જમીનમહેસૂલકમિટી આગળ જીખાની આપતાં જણાવ્યું હતું: ‘જો એમ પૂછતા હૈ। કે લેાકેા ગુજારા કેમ કરતા હશે તેા એને જવાબ એ છે કે મેાસમ વીત્યે નવરાશના દિવસેામાં એ લેાકેા હાડીદપાટી કરે છે, બળદ અને ગાડાંની મદદથી ભાડાં કરે છે, ઢાર રાખી ઘીદૂધ વેચે છે. ' $6 29 પણ હવે આ બચાવના પાકળપણામાં બહુ ઊતરવાની જરૂર નથી. દલીલે। તે ગમે તે કરવાને મિ. અંડર્સનને હક હતા, પણ એક વસ્તુ એના ભાષણમાં એવી હતી કે જે એના જેવા અમલદારના માંમાં પણ શાભતી નહતી. પેાતાના એ ઐતિહાસિક થઈ જનારા ભાષણના ઉપસંહાર કરતાં મિ. ઍંડન મેલેલા આપણને કહેવામાં આવે છે કે થાડાં વરસ ઉપર ખારડાલી. 66 ૭૪
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy