________________
આરહેલી સત્યાગ્રહનો ઇતિહાસ
આમ માસને અંતે તાલુકા સારી રીતે સંગઠિત થઈ ગયે હતા, તાલુકાના લેાકેામાં પેાતાના બળનું ભાન આવતું જતું હતું, પેાતાના નાયકની સાથે તેમને નેહ વધતા જતા હતા. ખીજ્ તાલુકાએ આ તાલુકાની સહાનુભૂતિના કરાવા કરવા લાગ્યા હતાં, તાલુકાની મદદમાં કાળા ધરાવવાના વિચાર કરવા લાગ્યા હતા. જલાલપુર તાલુકામાં મળનારી આવી એક પરિષદમાં શ્રી. વલ્લભભાઈ એ જવાની ના પાડી, અને સંદેશા મેાકલ્ચા કે હજી અમે અભિનંદનને લાયક નથી થયા, અમને કાંઈક કામ કરવા દે, તાવણીમાં તવાવા દો, પછી જેટલી મદદ થાય તેટલી કરજો. સુરત જિલ્લાની એક પરિષદ ભરવાના ઠરાવ થયા હતા તે ઠરાવને પણ શ્રી. વલ્લભભાઈ એ રદ કરાવ્યા, અને લેાકેા ઉપર જપ્તીખાલસાની નવાજેશ થાય નહિ ત્યાં સુધી એ પિરષદ ન ભરવાની સલાહ આપી.