________________
બારડોલી સત્યાગ્રહના ઇતિહાસ
પ્રકર
સ્વયંસેવકે પ્રતિજ્ઞા
દરરાજ નવાંનવાં પ્રતિજ્ઞાપત્ર ઉપર
આ
કાઈ ગામના વાણિયાએ પૈસા ભરી દીધા એમ સાંભળ્યાથી લેાકેાના ઉપર કશી માઠી અસર થતી નથી. પત્રો ઉપર સહી કરાવવા ફરી રહ્યા છે, અને ગામ જોડાયાની ખબર આવ્યે જાય છે. સહેલાઈથી સહી થતી નહાતી એ જણાવવું જોઈ એ. પહેલી માર્ચ સુધી . બેત્રણ ગામેા એવાં રહ્યાં હતાં કે જે આગ્રહપૂર્વક સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી કરતાં નહેાતાં, તેમજ પૈસા પણ ભરતાં નહેાંતાં. નાના જમીનદારે તે માગી માગીને સહીઓ કરે, મેાટાએ ડરતા ફરે.
અહી
શ્રી. વલ્લભભાઈનાં ભાષણાના રસ હવે લોકાને લાગવા માંડયા હતા. ખેડૂતાની બુદ્ધિ અને હૈયામાં સોંસરી પેસી જાય એવી તળપદી ભાષામાં તેએ તેમને પ્રેરવા લાગ્યા. એક ગામે તેએ કહેઃ
“હું તાલુકાનાં ગામેા ફરતા જાઉં છું તેમ જોતા જાઉં છું કે આ પદર દિવસમાં લડતનું રૂપ સમન્તતાં લેાકાની ભડક ભાંગી ગઈ છે. હજી એ આની ચાર આની રહી હોય તે તે કાઢી નાંખો, ને ડર કૂવામાં ફેંકી દેજો. ડરવાનું તમારે નથી, સરકારને છે. કાઈ સુધરેલી સરકાર માની સમતિ સિવાય રાજ કરી શકે નહિ. અત્યારે તે તે તમારી આંખે પાટા માંધી રાજ કરવા માગે છે. સરકાર કહે છે: તમે સુખી છે. મને તે તમારાં ઘરેમાં નજર નાંખતાં તમે ખીન્ન જિલ્લાના ખેડૂતો કરતાં સુખી હ એવું કશું જેવા મળ્યું નથી. તમે ડરી ડરીને સુંવાળા થઈ ગયા છે. તમને તકરારો આવડતાં નથી, એ ગુણ છે. પણ તેથી અન્યાયની સામે થવાની ચીડ પણ આપણામાં ન રહે એવા સુંવાળા ન થઈ જવુ જોઈ એ. એ તેા બીકણપણું છે. આ તાલુકામાં રાતના બાર એકેક વાગે હું ફૅરું છું, પણ મને કોઈ ‘કાણ ’કરીને પૂછતું નથી ! રવિશંકર કહે છે: આ તાલુકાનાં ગામામાં અજાણ્યાને કૂતરું પણ કરડતું નથી, કે કોઈ ભેંશ શિંગડું મારતી નથી ! તમારી શાહુકારી જ તમને નડી છે, માટે આંખમાં ખુમારી આવવા દ્યો ને ન્યાયને ખાતર ને અન્યાયની સામે લડતાં શીખેા.
""
'
દિવસેાનાં બધાં ભાષણાને · ખુમારીના પાઠ તાલુકાની સુંવાળી કામને લડતને માટે લડતને માટે તૈયાર કર્યાં પછી, તેમનું નવું માર્ગે ન ચડી જાય એ જોવાનું હતું.
૬૪
આ પ્રથમના તરીકે વર્ણવી શકાય. તૈયાર કરવાની હતી. પ્રગટેલું જોમ અવળે