SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ . ખુમારીના પાઠ ઉપર આવી નેટિસનો સામટો મારો થશે. આ આરંભકાળની કેટલીક પત્રિકાઓ જોવા જેવી છે: વાલોડના પચાસસાઠ વાણિયા ખાતેદારે ઉપર નોટિસો 2ી છે. સરકારે વાણિયાને પોચા માની ઠીક શરૂઆત કરી છે. સરભણ વિભાગમાં કઈ ગામમાં મહેસૂલ ભરાયું નથી. કડેદના કેટલાક વાણિયાએ ટી. સમજથી રાનીપરજ ભાગમાંની ડી જમીનના પૈસા ભર્યા છે. પણું તા. ૧૪ મીએ શ્રી. વલ્લભભાઈ અને અખાસસાહેબ ગયા બાદ અફેર ઠીક થઈ છે, અને બે દિવસથી મહેસૂલ ભરાતું નથી. ટીંબરવામાં તલાટીએ વગરમાગ્યે ઉપદેશ લોકોને આપવાની મહેરબાની કરી છે, તે સંવાદરૂપે ઃ તલાટી-તાલુકો તુટશે ત્યારે ભરશે તેના કરતાં આજે જ ભરે ને ? લોકે–એ વાત જ ન કરે. તાલુકે તૂટે તે ભલે, પણ આ ગામ થેંક્યું નહિ ગળે. તલાટી-– અમારું માન ન રાખો પણ મટે અમલદાર આવે ત્યારે તેમનું માન રાખી ચાર છ આની તો ભર. લોકે – મોટા અમલદારની મોટાઈ અમારે શા ખપની? હવે તો વલ્લભભાઈસાહેબને હુકમ થાય ત્યારે જ ભરાય. બુહારીના અગિયાર વણિક ભાઈઓએ પિતાના ખાતામાં રૂ. ૫૧પ મહેસૂલ ભરેલું. તેઓ શ્રી. અમ્બસસાહેબના ઉપદેશ પછી પસ્તાય છે. ત્યાંના એક વણિક અગ્રેસર કહે છે, હવે વલ્લભભાઈસાહેબને મોટું બતાવતાં મને શરમ થશે.” આમ રોજરોજ લડતના વાતાવરણના પારામાપક યંત્રની જેમ પત્રિકાઓ લોકોની પાસે પડતી હતી. સરકારના સામ, દામ, ભેદ, દંડ બધા ઉપાયો એમાં પ્રગટ કરવામાં આવતા હતા, કાઈ મહેસૂલ ભરી આવે તે તે હકીકત પણ ગુપ્ત રાખવામાં આવતી નહોતી. શ્રી. વલ્લભભાઈનો હજી બારડેલીમાં કાયમનો મુકામ નથી થયો. અવારનવાર તેઓ આવજા કરે છે. લડતની કળાનું જ્ઞાન ધરાવનારા રવિશંકરભાઈ અને મોહનલાલ પંડ્યા જ્યાં ત્યાં પહોંચી જઈ લોકોને શૂર ચડાવી રહ્યા છે. પહેલા જ મહિનામાં “ઇગતપુરી કનસેશન”ના હુકમ સરકારે કાઢ્યા હતા, જેથી પચીસ ટકાથી વધારે જેમનું મહેસૂલ વધ્યું હોય તેમને દર પચીસ ટકે બે વરસ
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy