SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પષ્ટીકરણ બેલા જ હું ત્યાં ગયો છું અને કઈ પણ ક્ષણે મને રજા આપવી એ એમના હાથમાં છે. એમના હીરને અહેરાત્ર ચૂસનાર અને બહારથી આવીને તપાબંદૂકના જોરે લદાયેલા આ રાજ્યતંત્રને પણ તેટલી જ સહેલાઈથી વિદાય દેવાનું એમના હાથમાં હેત તો કેવું સારું !” આટલાથી કેાઈ શાણે માણસ ચેત્યો હત. પણ સરકારના રેવન્યુ ખાતાના મંત્રી મિ. સ્માઇથી વધુ ઉશ્કેરાયા, આગલા પત્રને ટપી જાય એ બીજે કાગળ લખે, તેમાં જણાવ્યું, “બારડોલીની પ્રજાએ દેવાળું કાઢયું નથી, તેમજ તે દેવાળું કાઢવાની અણિ પર આવેલી નથી. તાલુકાની વસ્તી વધી છે અને હજુ પણ વધતી જાય છે અને દેવાળાનું એક પણ ચિવું નજરે દેખાતું નથી;” શ્રી. વલ્લભભાઈએ ટાંકેલા સરકારી અમલદારના અભિપ્રાયો “સરકારના સત્તાવાર ઉગારો ન ગણાય.” અને શ્રી. વલ્લભભાઈ અને તેમના સાથીઓને: “બહારનાએ,” કહેવામાં તેમણે સરકારના રેવન્ય મંત્રી તરીકે નહોતું લખ્યું પણ “આ કાગળથી હું સ્પષ્ટ કરું છું કે આ કાગળની માફક પિલા કાગળમાં પણ નામદાર ગવર્નર અને તેની કાઉન્સિલના જ પાકા વિચાર મૂકવામાં આવ્યા હતા અને છે એમ જ આપ સમજશે?” અને “હજુ આ સબંધી વિશેષ પત્રવ્યવહાર કરવાની તમને જરૂર લાગે તે જિલ્લાના કલેકટર મારફત પત્રવ્યવહાર કરશે.” . સરકારની સંમતિ લઈને શ્રી. વલ્લભભાઈએ આ આખો પત્રવ્યવહાર વર્તમાનપત્રને પ્રસિદ્ધ કરવાને આપે, અને એ આપતાં તેમને એક પત્ર લખ્યો તેમાં સરકારની અવળાઈને સારી રીતે ઉઘાડી પાડી, અને બારડોલી સત્યાગ્રહનો ઉદેશ કેટલો પરિમિત હતો તે જાહેર કર્યું : “બારડોલી સત્યાગ્રહનો હેતુ પરિમિત છે. જે બાબત વિવાદાસ્પદ છે એમ આ પત્રવ્યવહારથી પ્રગટ થાય છે તે બાબતમાં નિષ્પક્ષ પંચ માગવાને સત્યાગ્રહીઓનો હેતુ છે. લોકો તો કહે છે કે બારડોલી તાલુકામાં મહેસૂલ વધારવાને માટે કશું જ કારણ નથી. પણ એ આગ્રહ રાખવાને બદલે મેં તો નિષ્પક્ષ પંચની જ લોકોની અનિવાર્ય માગણી ઉપર આગ્રહ રાખે છે. સેટલમેંટ ઓફિસરના રિપોર્ટના વાજબીપણુ મે ઇનકાર કર્યો ૫૩
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy