SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહના ઇતિહાસ પ્રકરણ: શ્રી. એમ. એસ. જયકર દશ મહિના સુધી આ તાલુકામાં કર્યો. છે અને દરેક ગામની તેમણે બરાબર તપાસ કરી છે. તેમણે ગામેગામ ખેતરેા ઉપર જઈ ખેડૂત સાથે વાતચીત કરી છે તથા તેમની સાથે મસલત કરી છે. '' આ ઉપરાંત જણાવ્યું કે ગણાતના આંકડા ઉપર આ ઇલાકાના જમીનમહેલના ઇતિહાસમાં પહેલીવાર આધાર રાખવામાં આવ્યેા છે એ કથન પાયાવિનાનું છે, સરકારે સેટલમેટ ફ્િસર અને સેટલમેંટ કમિશનરે સૂચવેલા દરામાં ખૂબ ઘટાડેા કરી નાંખ્યા છે, અને “હવે નવી આકારણી પ્રમાણે વસુલ લેવાનું મુલતવી રાખવા, અથવા આકારણીને કરી વિચાર કરવા, અથવા ખીજી કોઈ પણ જાતની વિશેષ રાહત આપવા તૈયાર નથી. આ પ્રમાણે જાહેર કરવા છતાં બારડોલીના લેકે પેાતાની જ બુદ્ધિએ ચાલીને અથવા બહારનાઆની શિખામણને વશ થઇને, મહેસૂલ ભરવામાં કસૂર કરશે તા લૅન્ડ રેવન્યુ કોડ અનુસાર જે પગલા લેવા જોઈશે તે લેતાં ગર્વનર અને તેની કાઉંસિલને જરા પણ સાચ નહિ થાય, અને તેને પરિણામે નહિ ભરનારાઓને જાણીબૂજીને જે નુકસાનમાં ઊતરવું પડશે તેને માટે સરકાર જવાબદાર નહિ રહે. ” આ કાગળની કેટલીક વિચિત્ર વાતેને જવાબ શ્રી.વલ્રભભાઈ આપ્યા વિના ન રહી શક્યા. તા. ૨૧મીએ તેમણે ઉપરના પત્રને જવાબ આપ્યા, તેમાં ગણેાતના આંકડાનેા આધાર પહેલીવાર રાખવામાં આવ્યા છે એ પેાતાના કથનના આધારમાં અનેક અમલદારાનાં કથન ટાંક્યાં, ૨૨ ટકા વધારે કયા આધારે ઠરાવવામાં આવ્યા એ સરકાર પાસે જાણવા માગ્યું, અને સરકારે આપેલી ધમકી માટે આભાર માનીને તેમને જણાવ્યું : “ તમે મને અને મારા સાથીઓને બહારના ' ગણુતા જણાએ છે. હું મારા પોતીકા લેાકેાને મદદ કરી રહ્યો છું એના રાષમાં તમે એ વાત ભૂલી જાઓ છે કે જે સરકારની વતી તમે ખેલે છે તેના તંત્રમાં મુખ્યપદે બહારના જ લેાકેા ભરેલા છે. હું તમને કહી જ દઉં કે જે હું મને પેાતાને હિંદુસ્તાનના કાઈ પણ ભાગ જેટલા જ ખારડોલીના પણ રહીશ સમજું છું, છતાં ત્યાંના દુઃખી રહેવાશીઓને . પર .
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy