________________
આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ મકનજી દેશાઈ હતા, અને વેડછીમાં શ્રી. ચુનીલાલ મહેતા અને તેમનાં પત્ની હતાં. શ્રી. વલ્લભભાઈએ બધા કાર્યકર્તાઓને બેલાવ્યા અને નવી છાવણીઓ ખોલવાની સૂચના કરી. આ સૂચનાને પરિણામે વાણિયાઓના મોટા મથક વાલોડમાં, વાણિયાઓના બીજા મથક બુહારીમાં, તાલુકાના મધ્યમાં આવેલા પાટીદારોના મોટા મથક વાંકાનેરમાં, ઉત્તરમાં એવા જ મોટા મથક વરાડમાં અને બામણીમાં, અને રાનીપરજ વિભાગના બાલદા ગામમાં, અને એક બાજીપુરામાં એટલી નવી છાવણીઓ બનાવવામાં આવી.
હજી સુધી કાર્યકર્તાઓને માટે જાહેર માગણી કરવામાં આવી નહોતી, અને શ્રી. વલ્લભભાઈને એવી માગણી કરવી પણ નહોતી. સેવા કરવાને જે તત્પર હતા તે તો આવી ચૂકેલા હતા જ. ડા. ચંદુલાલ તે પિતાને સિપાઈ કહેવડાવવામાં નૈરવ માનનારા, અને કહ્યું કામ ઉપાડી લેનારા. તેમણે વાલોડ અને બુહારીની છાવણ સંભાળી લીધી. શ્રી. મેહનલાલ પંડ્યા વરાડ અને એની આસપાસનાં ગામડાં સંભાળીને બેઠા. શ્રી. રવિશંકરભાઈ વિના ગુજરાતમાં ચાલતી સત્યાગ્રહની લડત શ્રી. વલ્લભભાઈ ચલાવે જ શાના ? તેમણે સરભણમાં પડાવ નાંખ્યો. “બારસાહેબ ગોપાળદાસ પણ શ્રી. વલ્લભભાઈને અમદાવાદથી બારડોલી બોલાવી લાવવામાં સામેલ હતા. બલ્ક દરબાર સાહેબ, મેહનલાલ પંડ્યા અને રવિશંકર જેવા ભડ હા આવવાને તૈયાર છે એ તો ભાઈ કલ્યાણજી, ખુશાલભાઈ અને કેશવભાઈ પાસે શ્રી. વલ્લભભાઈને બારડોલી લઈ જવાને એક મજબૂત દલીલ હતી. દરબારસાહેબે બામણુનો કિલ્લો સંભાળ્યો. ભાઈ ગોરધનદાસ ચોખાવાળા તેમને કુશળ મદદનીશ તરીકે મળી ગયા. ભાઈ ચિનાઈ જેઓ સાબરમતી જેલમાં બે વર્ષ સરકારના મહેમાન થઈ આવેલા હતા, અને જેમણે સૂતના રમખાણુમાં બહાદુરીથી અને શાંતિથી ઘા ઝીલ્યા હતા તેમને બારડોલી તળ સેંપવામાં આવ્યું. ભાઈ કેશવભાઈ તો ખાદીના કામને વરેલા હતા, પણ તેમણે શ્રી લક્ષ્મીદાસભાઈ પાસે લડતમાં જોડાવાની રજા માગી લીધી. તે ડા. ચંદુલાલ સાથે જોડાયા, અને વાલોડની આસપાસના રાનીપરજ ગામને માટે