________________
મારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ
કાયદાની ભૂલને સ્વીકાર તા સરકાર જરૂર કરી શકતી હતી, તે પણ ન કર્યાં: શ્રી. વલ્લભભાઈ એ તે। મળવાની પણ માગણી કરી હતી. ગવન રસાહેબને શ્રી. વલ્લભભાઈ અજાણ્યા નહાતા. પ્રલયસંકટનિવારણના કામને અંગે બેવાર તેમને તે મળ્યા હતા, ખૂબ વાતચીત પણ થઈ હતી, અને પ્રલયસંકટનિવારણના તેમના કામની પણ તે સાહેબને ખખર હતી. પણ તેઓ આ ટાંકણે એવી રીતે વાઁ કે જાણે શ્રી. વલ્લભભાઈ સાથે સીધી મસલત કરવાને પ્રથમથી જ સરકારને અણુગમે! હાય ના!
દરમ્યાન શ્રી. વલ્લભભાઈ તા. ૧૧ મી માર્ચ સુધી મહેસૂલખાતાના જવાબની રાહ જોઈ બેઠા હતા. જવાબ ન આવ્યે એટલે અગાઉ ઠરાવ્યા પ્રમાણે તેએ ખારડાલી જઈ ૧૨ મી તારીખે પાછા. ખેડૂતાને મળ્યા, અને સૌની સાથે પાછી ગાદી કરી. ખેડૂતે ના સેવકા પણ આ વખત દરમ્યાન એસી નહાતા રહ્યા. તેઓ ગામેગામ ફરી વળ્યાં હતા, તેમણે એક પ્રતિજ્ઞા ઉપર ખેડૂતની સહીએ લીધી હતી, અને સહી કરનારા આગેવાને ભેગા કર્યાં હતા. આ વેળા મસલતસભાના રંગ જુદા જ હતા. પહેલી વેળા આવેલા તે ઉપરાંત પણ કેટલાંક ગામાના લેાકેા આમાં જિર હતા.
શ્રી. વલ્લભભાઈ એ એકેએક ગામના માણસાને ફેરવી ફેરવીને સવાલે પૂછ્યા. સાના જ્વાબમાં સાચને રણકાર હતા, શેખી નહેાતી, પણ સાચી દંઢતા અને મક્કમતા હતી, અને પરિસ્થિતિનું ભાન હતું. એક પછી એક પેાતાના ગામની સ્થિતિ વર્ણવવા લાગ્યા. ‘અમારા ગામના પટેલે ક્રીસ ભરી દીધી છે; અમારી પડેાસના વાણિયાએ ભરી દીધી છે. પણ તેને ખખર નહોતી. તે બાકીના ન ભરે.’ અમારા ગામમાં ૫૮ જણે સહી કરી છે. ૧૨ બાકી છે. પણ ૫૮ મક્કમ માણસા છે.' અમારે ત્યાં બધાએ સહી કરી છે, માત્ર પટેલ બાકી છે, પણ તેને વિરાધ નથી.’‘અમારે ત્યાં થેાડા મુસલમાન જોખમ ખેડવા તૈયાર નથી.’· અમારું અધું ગામ તે ગમે તે થાય તેાપણ ઊભું રહેશે. બાકીના અર્ધાં ખાટા છે. પણ એ અધું ગામ જાણે
.
૩૮