SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્ર આરસી ફેબ્રુઆરી આ જ કાગળમાં શ્રી. વલ્લભભાઈ એ એક કુશળ ધારાશાસ્ત્રીની રીતે સરકારે કેટલીક કાયદાની ભૂલા કરેલી તે તરફ પણ તેમનું ધ્યાન ખેંચ્યું હતું. સેટલમેટ કમિશનર મિ. ઍંડસને નવા જ ધારણે અનેક ગામેાના ગ્રુપ (વ) બદલ્યા હતા તેને ઉલ્લેખ કરીને શ્રી. વલ્લભભાઈ એ જણાવ્યું, “ નવા વર્ગીકરણમાં કેટલાંક ગામા ઉપરના વર્ગમાં ચડાવવામાં આવ્યાં છે, એટલે એ ગામાને માથે તે! ઉપરના વર્ગોના ઊંચા દર અને વધારેલું મહેસૂલ મળીને ૫૦થી ૬૦ ટકાના વધારે। પડ્યો છે. છેવટના હુકમેા કાંઢતાં પહેલાં આ બાબતની લેાકેાને ખબર આપવામાં આવેલી નથી. સરકારે તેા સેટલમેટ કમિશનરનું નવું વર્ગીકરણ સ્વીકાર્યું, અને ૧૯૨૭ની ૧૯ મી જુલાઈએ છેવટના હુકમ કાઢવા. ચાલુ વર્ષોંમાં નવી આકારણીને અમલ કરવેા હેાય તે તે પહેલી ઑગરટ પહેલાં જાહેર થઈ જવી જોઈ એ. આથીયે વિશેષ નિયમ બહાર એ બન્યું છે કે ૩૧ ગામેાએ જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં નેટિસે ચેડવામાં આવી કે જેમને વાંધા રજૂ કરવા હોય તો તે મે મહિનાની અંદર પેાતાના વાંધા રજૂ કરે. એક રીતે તે ૧૯૨૭ની ૧૯ મી જુલાઈના સરકારી ઠરાવ ન. ૭૨૫૯/૨૪, જેની રૂએ જમીનમહેલમાં વધારેા થયેા તે સરકારને છેલ્લા હુકમ હતા. પરંતુ પેલી નેટિસ ચેાડાઈ એટલે એ હુકમ છેવટને રહી શકતા નથી. અને છેવટના હુકમ કાઢતાં પહેલાં વાંધાઓને વિચાર કરી લેવાને સરકાર ખંધાય છે. વળી છ મહિનાની અગાઉથી નેટિસ આપ્યા સિવાય ચાલુ વરસમાં નવા વધારે। અમલમાં મૂકી શકાય નહિ. ’’ કાગળમાંથી આટલેા લાંખે ઉતારા હું એટલા ખાતર લઉં છું કે સરકાર પેાતાની ભૂલ સમજી પણ તે કબૂલ કરવાને તૈયાર નહેતી. પણ એક મહિના પછી માર્ચમાં ધારાસભા મળી તેની એઠકમાં જાહેર કર્યું કે ૨૨ ગામેાના વર્ગ ઉતારવામાં આવ્યા છે. ઉપરના કાગળને એક ટૂંકા અને ટચ જવાબ ગવર્નરના પ્રાઇવેટ સેક્રેટરીએ લખ્યા, અને તેમાં જણાવ્યું કે તમારા કાગળ નિકાલ માટે મહેસૂલખાતા તરકે રવાના કરવામાં આવ્યા છે. પેલી ૩૭
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy