SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ મુનશી સમિતિના નિર્ણયને સારાંશ ૫. જુદાં જુદાં ગામે રહેવાનાં ઘરનાં બારણું ઉઘાડી નાંખ્યાના અનેક દાખલાઓ બન્યા છે, એ બતાવી આપે છે કે આમ બારણાં ઉઘાડીનાખવાનું કાંઈ કોઈ એકાદ જપ્તીઅમલદારે જ કર્યું નહોતું, પરંતુ એ તે એક વ્યવસ્થિત રીતિના અંગરૂપ જ હતું. બારણું ઉઘાડી નંખાયાં તેમાં ખેલવા ધારેલું અથવા ખોલેલું ઘર ખાતેદારનું છે કે નહિ તેની કશી પણ તપાસ કરવામાં નહોતી આવી... ૬. ઘણું દાખલાઓમાં સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી જપ્તી કરવામાં આવી હતી. આને પરિણામે લોકોને ખૂબ વેઠવું પડયું હતું. ૭. રાંધવાનાં વાસણ, ખાટલાપથારી, બિયાં, ગાડાં, બળદ, વગેરે જેવી ચીજો જપ્તીમાં ન જ લઈ શકાય. આમ આ ચીજો ન જ લઈ શકાય છતાં તે જતીમાં ઝડપવામાં આવી હતી. ૮. અસંખ્ય દાખલાઓમાં જપ્તીઅમલદારએ જપ્તી કસ્તી વખતે “ તપાસ પણ કરી નહતી કે તેઓ જપ્તીમાં લે છે તે મિલકત મહેસૂલ બાકી રાખનાર ખાતેદારની છે કે કઈ બીજાની. ઘણું કિસ્સાઓમાં તેમણે એવા. માણસેની મિલકત જપ્ત કરી હતી જેમને કશું જમીનમહેસૂલ ભરવાનું જ નહોતું; અને જપ્તીમાં લીધેલી મિલક્ત ખાતેદારની નહતી એ સાબિત કરવાને બેજે, અવશ્ય કરીને, જેમની મિલક્ત ખોટી રીતે જપ્ત કરવામાં આવી હતી એવા બિનખાતેદારે ઉપર જ નાંખવામાં આવતો. કેટલાક દાખલામાં તો આવી રીતે જતીમાં લીધેલી મિલકત વેચી નાંખતી વખતે એ મિલકત કેની હતી એની તપાસ કરવા જેટલી પણ તસ્દી લેવાઈ નહોતી. ૯. અનેક દાખલાઓમાં જપ્ત કરેલો માલ તે તે ચીજની કિંમત કરતાં ઘણું ઓછા ભાવે વેચી નાંખવામાં આવ્યો હતો, અને પિલીસે તથા રેવન્યુ પટાવાળાઓને આ લિલામ વખતે માલ માટે બીડ મૂક્વા દેવામાં તથા તે ખરીદવા દેવામાં આવ્યા હતા. ૧૦. જપ્તીમાં લીધેલાં ઢોરને ઘણું દાખલાઓમાં સખત મારવામાં આવ્યાં હતાં. થાણાંમાં તેમની ઈતી કાળજી રાખવામાં આવી નહોતી, એટલે કે તેમને પૂરતું ખાવાનું કે પીવાનું આપવામાં આવ્યું નહોતું. ૧૧શાંત લોકોમાં જપ્તીના કામ માટે પઠાણેને રેકવામાં આવ્યા. એ બિનજરૂરી અને ગેરવાજબી હતું. પુરાવા મળી આવે છે કે આ રિકવામાં આવેલા પઠાણોની વર્તણૂક અસભ્ય અને અગ્ય હતી, અને એક દાખલામાં તો સ્ત્રીની છેડ કરવા સુધી તેઓ ગયા હતા. કેટલાક દાખલામાં પઠાણેએ નાની નાની ચોરી કરી હતી. ઢોરા પ્રત્યે તેઓ નઠોર રીતે વર્યા હતા. ૩૮૭
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy