SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૪ મુનશી સમિતિના નિષ્યને સારાંશ ૧. કેટલાક દાખલાઓમાં ખાલસા નેટિસે કાયદા પ્રમાણે તૈયાર કરવામાં અને ચેડવામાં આવી નહોતી, કેટલાક દાખલામાં નોટિસે ખેટે ઠેકાણે ચેડાઈ હતી, અને કેટલીક નોટિસે તેમાં જણાવવામાં આવેલી મુદત વીત્યા બાદ લાંબા વખત પછી ચોટાડવામાં આવી હતી. અમારી આગળ રજૂ કરવામાં આવેલી નિયમબાહ્ય નેટિવ્સની સંખ્યા સારી જેટલી છે, અને તે તાલુકાના જુદાજુદા ભાગોમાંથી આવી છે. તે ઉપરથી જણાય છે કે આ નિયમબાહ્યતા તાલુકાની અમુક નાની મર્યાદામાં જ નહતી. * ૨. બારડોલીની ઘણીખરી જમીન વિષે ખાતેદારે સામે ૬૦૦૦થી વધુ નેટિસે કાઢવામાં આવી હતી. તે તે જમીનમાંથી લેવાના મહેસૂલ સાથે આ જમીનની કિંમત મુદ્દલ પ્રમાણસર નહોતી કારણ કે સરકારી અહેવાલો પ્રમાણે બારડોલીની જમીનની સરાસરી કિંમત એ ઉપરના સરકારી ધારા કરતાં ૫૦-૧૦૦ ગણું વધારે છે. આ પ્રમાણે ખાલસા કરવું એનો નૈતિક દૃષ્ટિએ કે રાજકારેબારની દ્રષ્ટિએ બચાવ થઈ જ ન શકે. ૭. જમીન વેચી નાંખવાના સંબંધમાં કારોબારી ખાતા પાસે રહેલી આકરી સત્તાની રૂએ રૂ. ૩,૦૦,૦૦૦, ની કિંમતની જમીન રૂા. ૧૧,૦૦૦માં વેચી કાઢવામાં આવી. આમ, લેવાને મહેસૂલના પ્રમાણમાં અનેકગણ કિંમતની જમીનો વેચી નાંખવામાં આવે એ અન્યાચ છે, પછી ભલે તે શિરસ્તાની રૂએ હેય. , ૪. ઘણું કિસ્સાઓમાં જપ્તી માટે લેવાયેલાં પગલાં અને જંગમ મિલક્તનાં વેચાણ ગેરકાયદે કે નિયમબાહ્ય હતાં.
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy