SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ સરકારની ધમકીઓ અત્યારે બારડેલી તાલુકામાં સવિનય કાનૂનભંગની હિલચાલ ચાલી રહી છે એની તે ખરેખર કઈ માનવંત સભાસદ ના પાડી શકે એમ નથી, અને સવિનય કાનૂનભંગ એક અંધાધૂંધી જ છે એ વિષે માનવંતા સભાસદોને યાદ આપવાની મારે ભાગ્યે જ જરૂર હોય, ભલે ને આમાં સામેલ રહેનારાઓને પાકે પાયે ખાતરી છે કે તેમને દવે ન્યાયપુર:સરનો છે, પરંતુ અંધાધૂધી તે અંધાધૂંધી જ છે - ભલે ને તે અંધાધૂંધી પેદા કરાવનારા કે તેમાં સામેલ રહેનારાઓ પોતાના વિચારમાં મક્કમ હોય, અથવા તો ભલે ને એ અંધાધૂંધીથી કેટલાંક સ્ત્રીપુરુષમાં બીજાં સારાં કાર્યોને યોગ્ય હોય એવા ગુણો આવે. વળી, કોઈ પણ રાજદ્વારી બંધારણે કાયદાની અવગણના કરવાથી આવનારાં અનિવાર્ય પરિણામોની જાહેર પ્રજામત સ્પષ્ટ સમજ હોવી જોઈએ. એક વખત માણસોને ખાતરી થઈ જાય કે કાયદેસર રીતે સ્થપાયેલી કારિબારી. સત્તાને ઊંધી પાડવી એ વાજબી છે, તો તો પછી ધારા બનાવવાનું કાર્ય કરતી ઘારાં સભાને પડકારી માંખો કે કાયદાની અર્થવ્યાપ્તિ આપતા ન્યાયખાતાને પક્ષપાતને આરે ઓઢાડતાં તેમને કશી વાર લાગવાની નથી. આમ સામાજિક જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં કાયદા માટેનું માન એ તલસ્પર્શ મુદ્દો છે, અને કેાઈ શહેરી કે -શહેરીઆના તરંગથી તેને ઉથલાવી નાંખવાનો પ્રયત્ન કરે એનો અર્થ સીધી અરાજકતા જ છે.”
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy