________________
આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ
કન્સેશન’ આપવા તૈયાર થઈ છે. આ લેખકને ખબર
અપાય છે, અને
લાગતી નથી કે ઇગતપુરી નામે આળખાતી રાહતના અમલ ૧૮૮૫ની સાલથી થવા લાગ્યા છે. આ રાહત દક્ષિણ, ગુજરાત અને દક્ષિણ મરાઠા જિલ્લામાં ૐ નિયમાનુસાર આપે!આપ અપાયા જ કરે છે. જયારે કાઈ પણ નવી આંકણી ચાલુ કરવામાં આવે છે, ત્યારે સરકારને આ રાહત આપવી કે ન આપવી તેને વિચાર કરવાને રહેતા નથી. એ રાહતના ઠરાવમાં સૂચવેલી શરતાનું પાલન થતું હોય તે તરત જ આ સહત આપવામાં આવે છે જ.
સરકારે ખારડાલી તાલુકામાં પ્રથમ ઇગતપુરી રાહત ’ આપવાની સૂચનાની ધસીને ના પાડી હતી, અને પછી લેાકાના ખાણને વશ થઈ રાહત આપવાનું ઠરાવ્યું છે એમ કહેવું એ બિલકુલ વાજબી નથી. આ તાલુકામાં તેમજ ખીજા કાઈ પણ તાલુકામાં જ્યાં શરતનું પાલન થતું હશે ત્યાં હમેશાં ‘ઇગતપુરી રાહતા' આપવામાં જ આવશે. સરકાર આશા રાખે છે. કે તમે તમને ટકા આપનારાઓને આ બાબત વિષે સાચી સમજ પાડશે.
૮. ૧૯૬૮ ના ફેબ્રુઆરીની ૧૬ મી તારીખના ૭૨૫૯-બીના ૨૪-૩૧૮૮ નંબરવાળા કાગળ પર મેં સહી કરેલી હોવાથી એમાં દર્શાવેલ વિચારો માત્ર સરકારના એક સેક્રેટરીના છે, અથવા તે તેણે તે પેાતાની. જ અગત જવાબદારી ઉપરથી જ લખેલા છે એમ તમે માનતા હો એમ તમારા કાગળના નવમા ફકરા ઉપરથી સૂચન થાય છે. પણ આ કાગળથી હું સ્પષ્ટ કરું છું કે આ કાગળની માફક, પેલા કાગળમાં પણ નામદાર ગવન ર અને તેની કાઉન્સિલના જ પાકા વિચારો મૂકવામાં આવ્યા હતા, અને છે એમ જ તમે સમજશે.
છેવટે હું તમને જણાવી દઉં છું કે ગવનર અને તેની કાઉન્સિલ તમારા કાગળના દશમા ફકરામાં દર્શાવેલી સૂચના સ્વીકારવા તૈયાર નથી. વળી એ પણ જણાવી દઉં છું કે આપણી વચ્ચે થયેલ તમામ પત્રવ્યવહાર ન માનપત્રામાં જાહેર થાય તે સરકારને લેશમાત્ર વાંધે નથી. સરકારે જે નીતિ ગ્રહણ કરી છે તે તમારી સમક્ષ સંપૂર્ણ પણે છેવટની મૂકી દીધી છે. અને હજી પણ આ સબંધી વિશેષ પત્રવ્યવહાર કરવાની તમને જરૂર લાગે તા જિલ્લાના કલેક્ટર મારફત પત્રવ્યવહાર કરવાની વિનંતિ કરું છું. તમારા નમ્ર સેવક, જે. વી. સ્મિથ
સેક્રેટરી, મુંબઈ સરકાર, રેવન્યુ ડિપાર્ટમેન્ટ
300