SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ આડેલી સત્યાગ્રહને ઇતિહાસ - ધારણ ઉપર ગામોનું નવું વર્ગીકરણ કર્યું. એવી ભલામણે મંજૂર રાખીને આકારણીના વિષયમાં સરકારે એક તદ્દન નવું જ તત્ત્વ દાખલ કર્યું છે. નવા વર્ગીકરણમાં કેટલાંક ગામે ઉપરના વર્ગમાં ચડાવવામાં આવ્યાં છે. એટલે એ ગામને માથે તો ઉપરના વર્ગોને ઊંચા દર અને વધારેલું મહેસૂલ મળીને ૫૦ થી ૬૦ ટકાને વધારે પડ્યો છે. છેવટના હુકમ કાઢતાં પહેલાં આ બાબતની લોકોને ખબર આપવામાં આવેલી નથી. સરકારે તે સેટલમેંટ કમિશનરનું નવું વર્ગીકરણ સ્વીકાર્યું અને ૧૯૨૭ની ૧૯મી જુલાઈએ છેવટના હુકમ કાઢચા. ચાલુ વર્ષમાં નવી આકારણને અમલ કરવો હોય તો તે પહેલી ઑગસ્ટ પહેલાં જાહેર થઈ જવી જોઈએ. આથીયે વિશેષ નિયમબહાર તે એ બન્યું છે કે ૩૧ ગામાએ જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં નેટિસે ચોડવામાં આવી કે જેમને -વાંધાઓ રજૂ કરવા હેય તે બે મહિનાની અંદર પોતાના વાંધાઓ રજૂ કરે. એક રીતે તે ૧૯૨૭ની ૧૭મી જુલાઈન સરકારી ઠરાવ નં. ૭૨૫૯ ૨૪, જેની રૂએ જમીન મહેસૂલમાં વધારે થયે તે સરકારને છેલ્લો હુકમ હતો. પરંતુ પિલી નેટિસે ચેડાઈ એટલે એ હુકમ છેવટને રહી શકતા નથી, અને છેવટને હુકમ કાઢતાં પહેલાં વાંધાઓનો વિચાર કરી લેવાને સરકાર બંધાય છે. વળી છ મહિનાની અગાઉથી નેટિસ આપ્યા સિવાય ચાલુ વરસમાં નવે વધારે અમલમાં મૂકી શકાય નહિ. પરંતુ તાલુકાને જે ઉઘાડે અન્યાય થર્યો છે તે બાબત હું લંબાણ કરવા માગતો નથી. મારી વિનંતિ એટલી જ છે કે લોકોને ન્યાય આપવા ખાતર સરકાર ઓછામાં ઓછું એટલું કરે કે નવી આકારણ પ્રમાણે મહેસૂલ વસૂલ કરવાનું હમણાં સરકાર મુલતવી રાખે અને આ કેસ નવેસરથી તપાસી જાય. એ તપાસમાં લોકેને પોતાની હકીક્ત રજૂ કરવાની તક મળે, અને તેમની રજૂઆતને પૂરતું વજન આપવાની ખાતરી આપવામાં આવે. અતિશય નમ્રતાપૂર્વક આપ નામદારને જણાવવાની હું રજા લઉં છું કે આ લડત જે બહુ તીવ્ર સ્વરૂપ પકડે એવો સંભવ છે તે અટકાવવી આપના હાથમાં છે, અને તેથી આપને માન સાથે આગ્રહ કરું છું કે લોકોને પિતાને કેસ પૂરતી સત્તાવાળા નિષ્પક્ષ પંચ સમક્ષ રજૂ કરવાની તક આપે. આપ નામદારને એમ લાગે કે આ બાબતમાં રૂબરૂ મળવાજેવું છે તે બોલાવે ત્યારે આપને મળવા આવવા હું તૈયાર છું. આપને નમ્ર સેવક, વલ્લભભાઈ ઝ. પટેલ નામદાર સર લેસ્લી વિલ્સન જોગ , ૩૫૪
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy