SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ આરડેલી સત્યાગ્રહને ઇતિહાસ ખેડવામાંથી થતા ફાયદામાં વધારે ખેડૂતની પિતાની મહેનતે અથવા પિતાને ખર્ચે થયેલ હોય તો તે વધારે નવી આંકણી કરતી વખતે ગણતરીમાં ન લે. ૪. સરકારી કાગળના ૭મા પેરેગ્રાફના સંબંધમાં મારે એટલું જ કહેવું જોઈએ કે છાપાં અથવા ભાષણે દ્વારા મને ટેકે આપનાર મિત્રો અને હું ટોળી બાંધીને બેઠા નથી. પણ મારે તેમના તરફથી જણાવવું જોઈએ કે નાની નાની સરકારી જાહેરખબરે અને નિયમો અને કાનૂનના અભ્યાસી હોવાની તેમની પાસે કોઈ આશા ન રાખે. તેઓ આવી હિલચાલને ટેકે આપે કારણ કે તેમને સામાન્ય રીતે સત્ય કેની બાજુએ છે તે સમજાઈ જાય છે, અને સરકારની સચ્ચાઈને વિષે તેમને વિશ્વાસ ઊડી ગયે છે. છતાં અહીં પણ મારે કહેવું જોઈએ કે સરકારી જાહેરનામાં અને નિયમો અને કાનૂનોની ભૂલભૂલામણીમાં ઊતરવાની જે મહેનત લે છે તેને તેની મહેનતનું ભાગ્યે જ કશું ફળ મળે છે. કારણ સરકારની પાસે તે દરેક વખતે કંઈક નહિ તે કંઈક જવાબ હોય છે જ. તમારા આ નિયમને તમે ભંગ કર્યો છે એમ કહીએ તો સરકાર જવાબ દે છે: “આ પ્રથાને બદલે અમે હવે આ પ્રથા શરૂ કરી છે,” “અમલી ખાતાના : હુકમો સરકારને પોતાની ઇચ્છા પ્રમાણે બદલવાને હક છે !” ૫. મને અને મારા સાથીઓને બહારના” કહીને જે અપમાન પહેલા કાગળમાં કરવામાં આવ્યું હતું, અને જેની સામે મેં વાંધે લીધે ' હતું, તે અપમાન સરકારના છેલ્લા કાગળના આઠમા પેરેગ્રાફમાં ગવર્નર અને તેની કાઉન્સિલની છાપ સાથે પાછું મારા માથામાં મારવામાં આવ્યું છે. એનો અર્થ એટલો જ છે કે પશુબળ ઉપર આધાર રાખનારી જે રાજ્યપ્રથાને જ્યારે ત્યારે પિતાનું ઉદ્ધત જોર બતાવવાની ટેવ પડી છે, તે પ્રથાને આ દેશમાંથી કાઢયે જ છૂટકે છે. ૬. પણ બારડેલી સત્યાગ્રહને એ હેતુ નથી. એને હેતુ તે પરિમિત છે. જે બાબત વિવાદાસ્પદ છે એમ આ પત્રવ્યવહારથી પ્રગટ થાય છે, તે બાબતમાં એક નિષ્પક્ષ પંચ માગવાને જ સત્યાગ્રહીઓને હેતુ છે. જોકે તે કહે છે કે બારડેલી તાલુકામાં મહેસૂલ વધારવાને માટે કશું જ કારણ નથી. પણ એ આગ્રહ રાખવાને બદલે મેં તે નિષ્પક્ષ પંચની જ લોકોની ના ન પડાય એવી માગણી ઉપર આગ્રહ રાખે છે. સેટલમેંટ ઓફિસરના રિપોર્ટની યોગ્યતાને મેં ઇનકાર કર્યો છે, સેટલમેંટ કમિશનરે જે ધોરણે કામ લીધું છે તે ધરણની યોગ્યતાને પણ મેં ઇનકાર કર્યો છે. સરકારની ઇચ્છા હોય તે એની તપાસ કરીને મને ખેટે ઠરાવે. ૩૫
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy