SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ગૂંચઉકેલ ' ૯. જ્યાં જમીનમાં અમુક પ્રકારને ખાસ લાભ હેય તેટલા ખાતર જ ગણેત અપાતું હોય. દાખલા તરીકે અડાજણમાં ૨૭ ગુંઠ ક્ષેત્રફળનું અને ૧૦ રૂપિયા આકારનું એક ખેતર ૫૦ રૂપિયા ગણોતે અપાતું હતું. એને ખુલાસો આપતાં પારસી ગણોતિયાએ કહ્યું કે મારી તાડીની વાડી એ ખેતર પાસે છે અને એ ખેતરમાં ઉત્તમ મીઠા પાણીનો કૂવો છે જે મારા મને માટે બહુ સગવડકર્તા છે, અને એ પાણીને માટે જ ૫૦ રૂપિયા આપું છું. ૧૦. કેવળ બીજાને બતાવવાની ખાતર ગણતની રકમ ખોટી. અથવા ભરાતી હોય તે કરતાં વધારે લખેલી હોય એવાં ગણે; ૧૧. ખાસ કબૂલતથી થયેલાં ગણાતો. ચોર્યાસી તાલુકાના રૂંઢ ગામે ૪૦ એકરનું એક ખેતર એક કળણે ગણોતે રાખેલું, એનું મહેસૂલ રૂ.૬૮-૬, એનું ગણત ૧૦૦૧ રૂપિયા! આ ગણત બીજાની સાથે ભેળવવામાં આવે તો ગણતનો સરાસરી દર અતિશય વધી જાય. અમલદારો આગળ આવીને બાઈએ ખુલાસો કર્યો કે હજાર રૂપિયા મેં ઘાસના ઊંચા ભાવ વખતે કબૂલેલા, પણ હું આપું છું રૂપિયા છસે, છેલ્લાં ત્રણચાર વરસથી તે મારા ઘરેણાં વેચીને ગણોત ભરું છું; વાણિયાએ મને કહેલું કે આ ગણોતપટો ચાલુ રાખીશ અને દર વર્ષે ગણોત બરોબર ભરીશ તે દશ વીઘાં જમીન તને મફત કાઢી આપીશ, આ લાલચે મહેસૂલ ભર્યા કરું છું ! અમલદારે પિતાની તપાસમાં જેમજેમ આગળ વધતા , ગયા તેમ તેમ તેમણે જોયું કે ઉપર જણાવેલાં ગણત્રીમાં ન : લેવાનાં ગણેતા શ્રી. જયકરે બાદ કર્યો નહોતાં, એટલું જ નહિ પણ ઉપરના ૧૧ પ્રકારનાં ગણતને માટે તો તેમણે કશો વિચાર કર્યો હોય એ જરાય પુરા નહોતે. શ્રી. જયકરે તો પોતાના રિપોર્ટમાં લખ્યું કે ૧૯૦૧થી ૧૯૨૫નાં બધાં ગણોતો તેણે ચાળીને સાફ કરીને ઉતાર્યા છે. અમલદારે આ વચનની. ધૃષ્ટતાથી આભા બન્યા. આ વસ્તુ જ અશક્ય છે એમ તેમણે. જોયું. જેટલાં ગામો જોઈ શકાય તેટલાં જ ગામમાં છેલ્લાં થોડાં વર્ષનાં ગણોત વિષે માહિતી મેળવી શકાય – ૨૫ વર્ષની માહિતી.
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy