SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ બારડેલી સત્યાગ્રહને ઇતિહાસ પ્રકરણ “વાલનો શે ભાવ ઊપજ્યો?” વાલ તે ઘરમાં વપરાયા.' તમારી પાસે ઢેર કેટલાં છે?” ૩ ભેંસ, ૧ પાડી, ૪ ગાય, ૩ વાછડી, ૪ બળદ.” બળદને માટે તમારે બહારથી કેટલી વસ્તુ લાવવી પડી ?” “ગુવાર, ખેળ, તેલ, ઘી, મીઠું, હળદર, ગોળ વગેરે ચીજો.” “બળદને માટે જ તમે આવી સારી વાની રાખી છે કે ગાયભેંસોને પણ ખવરાવો ?” બળદને માટે જ, સાહેબ.' “ગુવાર કેટલા?” બધે એક જોડીને ખર્ચ ગણાવું છું. ૩૪ રૂપિયાના ગુવાર, ૨૫ રૂપિયાને ખોળ; ૧૦ રૂપિયા તેલથીના; રો રૂપિયાનું મીઠું.” મીઠું' સાંભળીને સાહેબ ઍક્યા. બળદ મીઠું ખાય ? બળદને મીઠું એના ખોરાકમાં અનેક વસ્તુ સાથે ખવડાવવામાં આવે છે એ સમજાવવામાં આવ્યું. “બળદને માટે જુદું મીઠું લાવ્યા હતા ? “જુદું શા માટે ? ૧૦ મણ લાવ્યો હતો. તેમાં અ ઘરમાં ગયું અને અધું ઢોરને માટે વપરાયું.' ‘દૂબળા કેટલા હતા ?” ગયે વર્ષે ચાર દૂબળા હતા.' ‘દૂબળાનો ખર્ચ કેટલો આવે? વર્ષે ૧૫૦ રૂપિયા.' . એ કેવી રીતે? રોજના છછ આનાની ખોરાકી લેખે ૮ રૂપિયા.' (પોતાને સુધારીને મહિને ૧૧ રૂપિયા કહ્યા.) ‘દૂબળાને કેટલું રોકડ અને કેટલું અનાજ આપે ?” ખાધાખાઈ આપીએ તે ઉપરાંત તે ૨૫ રૂપિયા સુધીને ઉપાડ કરે, અને ૧૫ રૂપિયાનાં કપડાં અને જેડા.” ૩૧૮
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy