SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ખેતીને ને! ખેતીમાંથી નફો થાય છે કે નહિ એને નિર્ણય કરવાને આ માટે શે આધાર હોવો જોઈએ એ વિષે અમારે મત અમે જણાવી ગયા. એ મત પ્રમાણે અમે બધે નફાતોટાને હિસાબ આપવા લાગ્યા. દરેક ઠેકાણે જે હિસાબ આપતા હતા તે અહીં આપવાની જરૂર નથી, પણ નમૂનાની ખાતર અમે કેટલી વીગતમાં ઊતરતા હતા અને કેવી રીતે અમારા હિસાબ આપતા હતા તે અહીં જણાવવાની જરૂર છે. એ જણાવીશું એટલે બૂમફીલ્ડ કમિટીના રિપોર્ટમાં અમારા આંકડા વિષે શી ટીકા થઈ છે અને તેમાં કેટલું વજૂદ છે તે પણ સમજાશે. સરભેણ ગામમાં અમે આપેલા આંકડા આ પ્રમાણે હતાઃ સરાસરી ઉત્પન્ન ૬૪ મણ કપાસ , ડાંગર , જુવાર તુવર, મગ, વગેરે કઠોળ , વાલ . છે. ૧,૬૦૦ પૂળા ધાસ કપાસના પાકના આંકડા આ ગામમાં અમે બહુ ચોકસ એટલા કારણસર આપી શક્યા હતા કે એ ગામમાં કપાસ વેચનાર સહાયકારક મંડળ મારફતે બધે કપાસ વેચાયા હતા, અને એ મંડળને મળેલા કપાસના ચાર વર્ષના આંકડાની સરાસરી ૬ . મણની આવતી હતી. ભાવ પણ બીજાં બધાં ગામે કરતાં સારે એકરે ૩૧૧
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy