________________
તાલુકાની સામાન્ય સ્થિતિ - ખૂબી તો એ છે કે જે રેલ્વેથી આજે પણ કશે લાભ નથી ચત એમ આ અમલદારો કહે છે તે જ રેલવેમાંથી થનાર ન ધ્યાનમાં લઈને ૧૮૯૬માં દર બાંધવામાં આવ્યા હતા. એટલે એ દર પણ કેટલા આકરા હશે! પણ એ દર કેટલા આકરા નહતા તેનો નિર્ણય કરવાનું આ અમલદારોનું કામ નહોતું એટલે એવી નોંધ તેઓ શેની જ કરે!
- મોટરો દાખલ થવાથી તે ખેડૂતોને નફે થવાને બદલે ખોટ ગઈ છે એમ અમે ચોર્યાસી તાલુકાનાં એકબે ગામોમાં સ્પષ્ટ બતાવી શક્યા હતા. ગાડાંની મજૂરી મળતી તે પછી થઈ અને ઘોડા માટે લીલું ઘાસ ખપતું તે ઓછું થયું – અને એ વાત અમલદારેને પણ બરાબર લાગી છે. | બજારેને વિષે શ્રી. જ્યારે તે કશો વિચાર જ કર્યો નહોતો. આ અમલદાર બધે જ બજારની તપાસ કરતા, કપાસ ક્યાં વેચો છે, ઘાસ ક્યાં વેચો છે, બીજી વસ્તુઓ ક્યાંથી લાવે છે, એવા એવા સવાલો પૂછતા. પરિણામે એઓ એવા નિશ્ચય ઉપર આવ્યા કે ઘણો કપાસ લેકે નવસારી ને જલાલપોર લઈ જાય છે, લોકોને રસ્તાની બહુ પડી નથી, પણ જ્યાં ભાડાના પૈસા જેટલું પણ વધારે મળે ત્યાં તેઓ જાય છે. પણ શ્રી. જયકરે બારડોલી, મઢી, વાલોડ, કમાલ છોડ અને બુહારીનાં જન જાણે સરખાં જ અગત્યનાં હોય એમ વાત કરીને મઢી, વાલેડ, કમાલ છોડ અને બુહારી અને તેની પાસેનાં ઘણાં ગામના દર વધાર્યા હતા તે વાતની ઉપર સારી ટકોર કરી. એ બીજો જનોમાં કશું દૈવત નથી, કમાલ છોડનું બંધ થયું છે, બુહારીમાં કપાસ થતો નથી અને બુહોરીના જીનનો કોઈ ભાવ પૂછતું નથી એવો અમે પુરા રજૂ કર્યો હતો તે સાહેબોએ સ્વીકાર્યો અને શ્રી. જયકરે ચડાવેલાં ગામડાંના વર્ગો રદ કર્યા. છે. શ્રી. જયકરે “ઘાસ તે ઢગલેઢગલા થાય છે અને સૂરત બજારમાં વેચાવા જાય છે, જ્યાં તેની ખૂબ કિંમત આવે છે? એમ લખેલું. બારડોલીનાં ૫૦ ગામો તપાસ્યાં ત્યાં કયાંયે સાહેબને એક તણખલું ઘાસ બહાર જતું હોય એમ ન માલૂમ
३०७