SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ તાલુકાની સામાન્ય સ્થિતિ પહેલા પ્રકરણમાં જણાવ્યું તેમ ગણતના આંકડાની * શુદ્ધતા વિષે તે તેઓ ક્યા, પણ તાલુકાની સામાન્ય હકીકત વિષે પણ તેમને શંકા થવા લાગી. કેટલેક ઠેકાણે તો તેમને તેમના તલાટી જે આંકડા આપતા હતા તેમાંથી જ શ્રી. જયારે આપેલી હકીકત તોડનાર પુરાવો મળી રહેતો હતો, અને કેટલેક ઠેકાણે તેમની આંખ શ્રી. જયકરના રિપેટની હકીકત ખોટી પાડતી હતી. દાખલા તરીકે મહેસૂલ વધારવાનાં કારણોમાં એક કારણ રસ્તા સુધર્યા છે અને તાપી વેલી રેલ્વે નીકળી છે એ આપવામાં આવ્યું હતું. રસ્તા કેટલા સુધર્યા છે એ એમણે આંખે જોયું, અને પોતાના રિપોર્ટમાં લખ્યું : “રસ્તા સુધાર્યા છે એમ શી રીતે કહી શકાય, જ્યાં સુધી અગાઉ તે કેવા હતા એ અમે જાણતા નથી? પણ ત્રણ મહિના આ તાલુકામાં રખડ્યા પછી અમે એટલું તો કહી શકીએ છીએ કે અમને એ રસ્તાઓને - બહુ સુખમય અનુભવ તે નથી જ થયે. તા મુખ્ય રસ્તાઓમાંને એક પણ રસ્તો – સરણથી નવસારીને રસ્તો પણ – સારા રસ્તા તરીકે ન જ વર્ણવી શકાય. ક્યાંક ક્યાંક ઠીક ભાગ આવે છે, પણ ઘણુંખરા ભાગ તે એવા છે કે એ રસ્તે એથી જરાક ખરાબ હોય તે એને કઈ રસ્તાનું નામ જ ન આપે. બળદગાડાં એના ઉપરથી જઈ શકે છે અને મોટર ચાલી શકે છે એટલું જ વધારેમાં વધારે એ રસ્તા વિષે કહી શકાય.” - રેલવે વિષે તો અમે બતાવી ચૂક્યા હતા કે ૧૮૯૬ ની જમાબંધી થઈ ત્યારે પણ રેલ્વેને ધ્યાનમાં લેવામાં આવી હતી. એ જ વસ્તુ સાહેબએ નોંધી છે અને જણાવ્યું છે: ટાખી વેલી રેલ્વેથી ખેડૂતોને થતા નફાનુકસાનમાં કંઈ ફેર પડી ગયો છે. એવું અમને નથી જણાતું.”
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy