________________
બકરોલી સત્યાગ્રહને ઇતિહાસ વાત ઉપર આવતા હતા, પણ ભાષણ અહીં જ પૂરું કર્યું.) મેં કહેવાનું કહી દીધું છે, હવે કાંઈ કહેવાનું બાકી રહ્યું નથી.
સરદારને કેલ બારડોલીમાં વિજયી ખેડૂતેની પાસે ભાવી કાર્યક્રમ રજૂ કરતાં વલ્લભભાઈએ ખેડૂતોને નીચે પ્રમાણે કેલ આપ્યો હતો?
સરકાર સાથે લડવાનું તે મીઠું લાગે છે, પણ યાદ રાખજે મારે તે તમારી જોડે પણ લડવું પડવાનું છે. ખેડૂત પિતાની ભૂલોથી. દુઃખી થઈ રહ્યું છે. તે ભૂલે હું સુધારવા માગું છું. તેમાં હું તમારે સાથ માગું છું. બારડેલી તાલુકાની બહેને, જેમણે મારા પર આટલો પ્રેમ વરસાવ્યું છે, મને ભાઈ સમાન ગણે છે તેઓ મને એ કામમાં સાથ આપે એ માગું છું. એમની મદદ સિવાય એમાંનું કંઈ પણ બનવું અસંભવિત છે. : - હું તમને કહી દેવા ઇચ્છું છું કે સરકાર તમામ મહેસૂલ માફ કરી દે - છતાં તમે જે ન ઈચ્છો તે સુખી ન જ થઈ શકે. સત્તાના જુલમ સામે તમે લડે એ તો મને પસંદ છે. પણ આપણે જાણવું જોઈએ કે આપણું પિતાની જ મૂર્ખાઈથી આપણે બહુ જ દુ:ખી થઈએ છીએ, આપણે પોતે જ આપણું દુઃખે માટે જવાબદાર છીએ, તે તે સામે શું આપણે ન જ લડીએ? તે સારુ તે રાતદિવસ જંગ માંડવો જોઈએ.
તેથી હું હવે બારડેલી તાલુકાનાં તમામ મહાજને અને પંચોને કહેવાનો કે તમારાં પંચોને સજીવન કરે, જૂનાં ખાંમાં નવું ચેતન રેડે. પંચે તો એવાં હોય કે જ્યાં ગરીબનું રક્ષણ થતું હોય, જેના વડે આખી કેમને પુનરુદ્ધાર થવા લાગે.
શું નાનાં નાનાં બાળકને પરણાવી માર્ચે કોઈ દિવસ કઈ કામનું કલ્યાણ થઈ શકે? જે પ્રજા છાતી પર ગળી ઝીલવાને તૈયાર થયાને દાવો કરતી હોય તે પોતાનાં નાનાં નાનાં બાળકોને કદી પરણાવે? તેને માટે શું સરકારને અમુક ઉંમર પહેલાં છોકરાં પરણાવવાની બંધી કરનારા કાયદા કરવા પડે? જે સરકારને આપણું સુધારા માટે કાયદા ઘડવા પડતા હોય તે આપણે તેની સાથે કેમ લડી શકીશું?
જેમ આપણે સરકારને દિલને પલટે ઇરછતા હતા તેમ આપણાં પિતાનાં હૃદયને પલટે પણ કરવો પડશે.
પ્રભુને હાજર જાણે લીધેલી એક પ્રતિજ્ઞામાંથી આપણે પાર ઊતર્યા અને આજે એ ફતેહની ઉજવણી માટે હર્ષથી ભેગા થયા છીએ. આ ઉજવણીમાં ભાગ લેવાને સૌને અધિકાર છે. પણ આ ઉજવણીને અંતે
૨૯૦