SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ કારણે સરકારને રજ અન્યાય હોય તેને આપણને ગજ કરતાં આવડે છે,. કીડીના જેવડે અન્યાય પણ હાથીના જેવડે આપણને લાગે છે અને લાગવો જોઈએ, જેને ન લાગે તે પ્રજા મૂછમાં છે – પણ આપણે જ્યારે પિતા થકી કશું કરવાનું આવે છે ત્યારે કર્તવ્યથી ભાગી છૂટીએ છીએ. એટલે મેં બારડેલીના લોકોને પહેલું કહ્યું: “તમે પ્રતિજ્ઞા પૂર્વાધ પાળે, હવે ઉત્તરાર્ધ પાળે.” ઉત્તરાર્ધ જૂનું મહેસૂલ ભરી દેવામાં છે. એ મહેસૂલ તે ઝપાટાબંધ ભરી દેવામાં આવશે એવી મારી ખાતરી છે. પણ એ મહેસૂલ ભરવાને ગર્ભની અંદર રહેલી રચનાત્મક કાર્યની પ્રતિજ્ઞા. હજી પાળવાની રહેલી છે. બારડોલીમાં જે અસીમ જાગૃતિ જોઈને હું આવું છું તે બહેનની સેવા આપણે કઈ રીતે કરશું, તેમનાં દુઃખ શી રીતે, ટાળશું, એમાં તમે શહેરીએ શે ભાગ ભરશે? એ પ્રશ્નને ઉકેલ તમારે કરી રહ્યો છે. ૧૯૨૧ માં તમારી પાસેથી જઈને મેં વાઇસરૉયને લાંબા ' કાગળ લખેલે, એમ સમજીને તમે અને બારડેલી મારી પ્રતિજ્ઞામાં શામેલ રહેશો. પણ તે વેળા જે કરવાનું હતું તે આપણે આજ સુધી નથી કર્યું. સત્યાગ્રહની અંદર સવિનય ભંગ આવી જાય છે, આંધળી સત્તાના અમલને સદા વિરોધ કરવાનું આવી જાય છે, પણ એ વિરોધને જેના ઉપર આધાર છે તે આત્મનિરીક્ષણ, આત્મશુદ્ધિ, રચનાત્મક કાર્ય એ તમે કેટલું - કરેલું છે તેને હિસાબ માગું તો મને લાગે છે કે તમારો અને મારી આંખમાંથી આંસુ પડાવી શકું. હું તે ૧૯૨૧માં હતું તેને તે જ આજે પણ છું, તે વેળા જે કઠણ શરત મૂકી હતી તે જ શરતો આજે મૂકનારે છું. એ શરતે વિના હિંદુસ્તાનમાં જે સુખ, શાંતિ, વૈભવ, સ્વરાજ, રામરાજ જોઈએ છે તે અસંભવિત માનું છું. જ્યાં સુધી અલબેલી કહેવાતી સૂરત નગરીના હિંદુમુસલમાન પાગલ બને અને ખુદાને નીંદીને ધર્મને ખટે નામે લાઠીઓ ચલાવે, અને અદાલતમાં જઈને ઇન્સાફ માગે, ત્યાં સુધી તેમને સ્વરાજનું નામ લેવાને અધિકાર નથી. મેં તે દિવસેમાં પણ કહેલું કે તમે ખરા બહાદુર છે તે તમને એકબીજા સાથે લડવાને અધિકાર છે, પણ અદાલતમાં જવાને અધિકાર નથી. આજ સુધી જગતમાં એવા લડવૈયા નથી જાણ્યા જે લડીને અદાલતમાં. ગયા હોય. અંગ્રેજ અને જર્મને તેપબંદૂકથી લડ્યા, પણ અદાલતની પાસે ન્યાય માગવા ન ગયા. એમાં અમુક અંશે બહાદુરી રહેલી છે.. હિંદુમુસલમાન એમ કરે છે તે કરવાને તેમને અધિકાર છે, જે તેઓ લડતની નીતિ અને મર્યાદા જાળવીને લડશે તે તેમનાં નામ ઈતિહાસમાં ૨૮૮
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy