SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ - વિકરાળ કાલિકા સારની મસલત લગભગ ત્રણ કલાક ચાલી અને વાતચીત બહુ મીઠાશથી થઈ ત્યારપછી ના. ગવર્નરને શ્રી.વલ્લભભાઈ સાથે ખાનગી વાતચીત થઈ તેમાં ના. વાઈસરૉય પણ આ દુઃખદ પરિસ્થિતિનો સત્વર અંત આણવા આતુર છે એમ તેમણે જણાવ્યું, જે મુદ્દાઓ શૈણુ ગણતા હતા, દાખલા તરીકે જમીને પાછી મેંપી દેવી, કેદીને છેડી દેવા વગેરે, તેના ઉપર કશે મતભેદ નહોતો. પણ વધારેલું મહેસૂલ પ્રથમ ભરી દેવાના મુખ્ય મુદ્દા ઉપર જ બધું અટકેલું લાગ્યું. રાવ બહાદુર ભીમભાઈ નાયકને ના. ગવર્નર સિાથે બપોરે વાતચીત થઈ તેમાં એવું માલુમ પડ્યું કે ગાણ મુદ્દાઓની બાબતમાં પણ મુશ્કેલી હતી. દાખલા તરીકે સરકારને પ્રતિષ્ઠાનું ઝોડ વળગાડનારાઓએ ગવર્નરસાહેબને સમજાવ્યું લાગતું હતું કે ખાલસા જાહેર કરેલી જમીન ભલે પાછી અપાય પણ વેચેલી જમીન તે પાછી ન જ અપાય. એટલે જે કાંઈ ગેરસમજ થઈ હોય તો તે ટાળવા માટે શ્રી. વલ્લભભાઈને ફરી બોલાવવા તેમણે ગવર્નરને સૂચના કરી. શ્રી. વલ્લભભાઈ ના. ગવર્નરને ફરી મળ્યા અને છેક રાત પડી ત્યાં સુધી વાતો થઈ, પરંતુ ના. ગવર્નર વધારેલું મહેસૂલ ખેડૂતો પ્રથમ ભરી દે અથવા સત્યાગ્રહીઓ તરફથી કઈ ત્રાહિત માણસ વધારા જેટલી રકમ અનામત તરીકે મૂકે એ બાબતમાં બહુ જ મકકમ જણાયો. બીજા મુદ્દાઓ ઉપર પણ મુશ્કેલી હોય એમ જણાયું, અને સમાધાન શકય ન લાગ્યું એટલે શ્રી. વલ્લભભાઈએ ના. ગવર્નરની રજા લીધી અને વિનંતિ કરી કે સરકારને જે શરતો કબૂલ હોય તે લખી મોકલે એટલે પિતાના સાથીઓ સાથે મસલત કરીને તેનો જવાબ તેઓ લખી મોકલશે. આવા સમાધાનની આવશ્યક શરતો સરકારે નીચે પ્રમાણે જણાવીઃ ૧. આખું મહેસૂલ એકદમ ભરી દેવામાં આવે, અથવા જૂના અને નવા મહેસૂલના તફાવતની રકમ ખેડૂતોના તરફથી કોઈ પણ વ્યક્તિ સરકારી તીજોરીમાં અનામત મૂકે. - ૨. જમીનમહેસૂલ નહિ ભરવાની ચળવળ એકદમ બંધ કરવામાં આવે. :૨૩૩
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy