SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ મું ઊંઘમાંથી જાગ્યા મુલાકાતને પરિણામે તુરત જ ત્યાં રાા લાખ હેડિયાવેરે રદ થઈ લોકોને ન્યાય મળ્યો હતો. પણ બારડોલી વખતે સર લેસ્લી બદલાઈ ગયા હતા. પાંચ પાંચ વરસ પ્રપંચી અને અષ્ટાવધાની સિવિલિયનેના સમાગમથી તેમની બધી સ્વતંત્રતા અને સૂઝ ઊડી ગઈ હતી. આ આખી લડત દરમ્યાન સરકારને જેટલો પત્રવ્યવહાર બહાર પડ્યો તેમાં ગવર્નરસાહેબ પોતાના હાથ નીચેના સિવિલિયન અમલદારોના નચાવ્યા કેમ નાચ્યા છે, એ જ પ્રગટ થાય છે. તેમના સિમલાપ્રયાણની પત્રિકા પણ આમાંના જ કઈ માણસે ઘડેલી હોવી જોઈએ. એ પત્રિકામાં કેવળ ગવર્નર સિમલા જાય છે, વળતાં સૂરત ઊતરશે અને જેને મળવું હોય તેને મળશે, એટલું જ લખ્યું હોત તે કશા માનાપમાનનો સવાલ નહેતો, કેવળ હકીકત પ્રગટ થાત. પણ મનનું પાપ ઢાંકયું રહેતું નથી. એ જવામાં જ રખેને પ્રજા “નમી ગયા” એમ કહે તો તેને કાંઈક જવાબ પણ અગાઉથી આપી દેવો જોઈએ, એ કારણે ગવર્નરસાહેબને વિષે લખવામાં આવ્યું: “ગવર્નરસાહેબની સ્પષ્ટ ફરજ કાયદાનું સર્વોપરિપણું કાયમ રાખવાની છે, પણ શહેનશાહના પ્રતિનિધિ તરીકે તેમની ફરજ એ જોવાની પણ છે કે ઘણું લોકો ઉપર ભારે સંકટ અને ત્રાસ ન પડે.” આ બધી વાણું પેલું પ્રતિષ્ઠાનું ભૂત ઉચ્ચરાવતું હતું જે પ્રતિષ્ઠાનું ભૂત આપણે સરકારના ઉપર લડતના અંત સુધી, સમાધાની દરમ્યાન અને સમાધાની પછી પણ, સવાર થયેલું જોશું.
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy