SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ' ર૭ નિપક્ષ સાક્ષીઓ “બારડોલીની લડતના પક્ષમાં આખી પ્રજાને મત એકધારે જેવો વહ્યો છે તે પહેલાં કઈ લડતમાં વહ્યો નહોતો.” તપેાતાના ધંધામાં મશગૂલ એવા મુંબઈને આગેવાનોએ up બારડોલીની લડતમાં સક્રિય રસ લીધે એ એક નેંધવાલાયક વસ્તુ હતી જ, પણ તેના કરતાં પણ કદાચ વિશેષ નોંધવાલાયક વિનીત 'દલના ઉત્તમમાં ઉત્તમ પુરુષો આ લડતને ટેકો આપવામાં આગળ પડ્યા એ ગણાય. બેની પ્રવૃત્તિઓ વચ્ચે ભેદ દર્શાવવો હોય તો એમ કહી શકાય કે વિષ્ટિકારોએ જે રસ લીધે તે વિશેષ કરીને માનવદયાબુદ્ધિથી લીધો હતો, જ્યારે વિનીત વર્ગો જે રસ લીધો તે વિશેષે કરીને ન્યાયની દષ્ટિએ લીધો હતો. વિષ્ટિકારોને હેતુ લડતને ટેકો આપવા કરતાં, સત્યાગ્રહીઓને તેમના ઉપર પડતાં કષ્ટમાંથી અને પરિણામે વિનાશમાંથી ઉગારી લેવાને વિશેષે કરીને હતો, જ્યારે વિનીતોએ તો લડતનો અભ્યાસ કરી લડતના ન્યાયીપણા વિષે પિતાની સાખ પૂરી, તેટલે અંશે સત્યાગ્રહીઓને ટેકો આપ્યો, અને પછી અળગા રહ્યા. આજકાલની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં બારડોલીની લડત જ એક એવી થઈ ગઈ કે જેમાં વિવિધ પક્ષના તથા ભિન્ન ભિન્ન વિચારો અને આભપ્રાય ધરાવતા સહુની સહાનુભૂતિ મળી હોય. ૨૧૭
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy