SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ આરહેલી સત્યાગ્રહનો ઇતિહાસ આ સ્થળે મરહૂમ મિ. બી. એફ. માદનનું નામ આપવું યોગ્ય ધારું છું. એમણે આ લડતને અંગે કરેલું કામ ભાગ્યે જ કોઈ જાણતું હશે, પણ આ લેખક જાણે છે. એમણે એક વિચક્ષણ આંકડાશાસ્ત્રી તરીકે શ્રી. જયકરના આંકડાની વ્યર્થતા એક સમર્થ નંધમાં સિદ્ધ કરી આપી. જ્યારે બૂમફીલ્ડ કમિટી આગળ અમે પુરાવો રજૂ કરતા હતા ત્યારે પેલા આંકડાની વ્યર્થતા સિદ્ધ કરવાને માટે અને ભાવોને વિષે જુબાની આપવાને માટે કમિટી આગળ રજૂ થવાની તેમણે તૈયારી બતાવી હતી. આ બધાની વિષ્ટિથી સરકાર સમાધાન માટે કેટલી તૈયાર થઈ હશે એ કહેવું બહુ મુશ્કેલ છે. લોકો તે વિષ્ટિની વાતોથી મલકાતા નહતા કે ગભરાતા પણ નહોતા. સરદારે તેમને અનેકવાર સંભળાવ્યું હતું: કેરીનું ફળ કવખતે તોડશો તે તે ખાટું લાગશે, દાંત અંબાઈ જશે, પણ તેને પાકવા દઈશું તે તે આપોઆપ તૂટી પડશે અને અમૃત સમું લાગશે. હજી સમાધાનીનો વખત આવ્યા નથી. સમાધાની કયારે થાય ? જ્યારે સરકારની મનોદશા બદલાય, જ્યારે તેને હૃદયપલટ થાય, ત્યારે સમાધાની થાય. ત્યારે આપણને લાગે કે તેમાં કંઈ મીઠાશ હશે. હજી તે સરકાર ઝેરવેરથી તળેઉપર થઈ રહી છે.” નેહીઓને પણ તેમણે વારંવાર સંભળાવ્યું હતું કે ઉતાવળ ન કરે, પ્રજામાં આટલું ચેતન આવ્યું છે તેના ઉપર પાણી ન રેડે. પણ આ વિષ્ટિઓનું પ્રત્યક્ષ પરિણામ કંઈ આવ્યું હોય કે ન આવ્યું હોય એટલું તે ચોકસ છે કે સરકાર જે ચળવળને રાજદ્વારી ગણતી હતી, અને જેના નેતાને નોકરશાહીના કેટલાક સ્તંભ “વિપ્લવવાદી” તરીકે નીંદતા હતા, તેવી ચળવળમાં પિતા પોતાના ધીકતા ધંધામાં મશગૂલ એવા પ્રસિદ્ધ પુરુષોએ આટલો રસ લીધે એ દેશના રાજકીય જીવનમાં થયેલી અદ્ભુત પ્રગતિનું અચૂક ચિહ્યું હતું.
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy