SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ વિષ્ટિકારી “ સરકાર જોડે બેસનારાઊઠનારા સરકારને શું સંભળાવવાના છે ?” મહેરા આગળ શંખ મૂકવાને ! અર્થ ? તે તે જાણુરો કે હાડકુ ચાવે છે! એ સાંભળે તે ક્યારે ? જ્યારે બારડોલી ઉપર બધાં જ હિથયારા વાપરીને ધરાશે, જ્યારે તેની જીલમ કરવાની શક્તિ ખૂટશે ત્યારે. ’’ લ ડત જેમ આકરી થતી જતી હતી તેમતેમ ખારડાલી બહારના લેાકા વધારે વધારે આકુળવ્યાકુળ થતા જતા હતા. જેમનું સરકાર આગળ કાંઈ પણ ચાલે એવું લાગતું હતું તેમણે તે સરકારની સાથે વાતા કરવા માંડી હતી. તે લેાકેાના પ્રતિનિધિએ સાથે પણ વાતો કરતા હતા, પણ આ પ્રતિનિધિઓને તેમની વાતમાં ઘણીવાર જોર નહેાતું લાગતું, તેમની વાતમાં દયા . ઊભરાતી હતી, પણ જેમને માટે તે આટલા દયા થતા હતા. તેમની ભૂખનું માપ તેમને એછું હેાય એવું લાગતું હતું. આવે ડર ગાંધીજીને લાગવાથી જ તેમણે ‘નવજીવન' માં આ વચને એ વિષ્ટિકારાને ઉદ્દેશીને લખ્યાં હતાંઃ : “કેટલાક શુભેચ્છક મિત્રો આ બાબતમાં વચ્ચે પડી રહ્યા છે એવા ગપગેાળા સાંભળવામાં આવે છે. આમ વચ્ચે પડવાને તેમને હક છે, કદાચ ફરજ પણ હાય. પણ એ મિત્રોએ લડતનું મહત્ત્વ સમજીને બધું કરવું જોઈ એ લડત નજીવી છે અથવા લેાકેા નબળા પડચા છે એમ માની તેમની દયાની ખાતર તેમણે વચ્ચે નથી પડવાનું. ખરડાલીના લેાકેાની લડત શુદ્ધ ન્યાયની છે. તેમને મહેરબાની નથી જોઈતી, શુદ્ધ ન્યાય જ જોઈએ છે. તેએ પેાતે કહે છે તે સાચું જ માની લેવાનું કેાઈ ને કહેતા નથી. તેએ તે એક સ્વતંત્ર, ખુલ્લી, અદાલતની તપાસની માગણી કરે છે.'' ૨૦૮
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy