SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ જુવાર આપે કે ઓછી ? ” મરદોએ કહ્યું: “માપસર.” બહેને ઘરમાં બેઠી બેઠી અમારી વાત સાંભળતી હતી. એક બહેન પોકાર કરી ઊઠી : “એમની સામે તે સાચું બેલે! ભાઈ, અમારું માપ ઓછું હોય છે. દૂબળા અમને છેતરે છે, અમે તેમને છેતરીએ છીએ. આવાં પાપ કરીએ એટલે અમારી દશા આવી થઈ ગઈ છે.” આ પછી કરજની વાત આવી. કરજ કબૂલ કરતાં લોકોને શરમ થતી હતી. એટલે એક બહેને એક ભાઈને ખખડાવીને કહ્યું: “સાચી વાત કહેતાં શરમ શેની? શરમમાં ને શરમમાં તે પાયમાલ થઈ ગયા.' આવી બહેનોને પ્રથમથી જ તૈયાર કરવા માંડીને સરદારે પિતાની લડતનો પાયો પાકે કર્યો હતો. જેમજેમ લડત વધારે આકરી થતી જતી હતી તેમતેમ બહેને વધારે બળવાન થતી જતી હતી. જતીની સામે તો તેઓ થઈ, પણ જેલ વખતે કેમ થશે એની કોઈને કલ્પના નહોતી. ભાઈસન્મુખલાલનાં માતાને પોતાના પુત્રને જેલમાં પ્રસન્નતાથી વળાવતાં જોઈને સૈને આનંદ થતો હતો. પણ જ્યારે વાંકાનેરના ૧૧ વીરોને જેલમાં જવાનું આવ્યું તે દિવસે તેમાંના કેટલાકની પત્નીએ તેમને અદાલતમાં અને સ્ટેશન સુધી વળાવવાને માટે આવી હતી. તેમના કેાઈનાં મેં ઉપર શક કે દુઃખની છાયા નહોતી. આવી સ્ત્રીઓના આશીર્વાદ લઈને જે જેલ સિધાવે તે કદી માફી માગીને પાછો આવે? બારડોલીમાં જેલ જનારાઓમાં એક પણ માણસ આ બેદો નીકળ્યો નહે. આ શરતાને ચેપ નાનાં મોટાં સૈને લાગ્યો હતો. મલેકપર ગામમાં શ્રી. વલ્લભભાઈને બહેને તરફથી માનપત્ર આપનારી એક ચૌદ વર્ષની બાળાએ પોતાની સ્વાભાવિક વાણીમાં પામરને પુરુષ બનાવે એવું ભાષણ કર્યું હતું: “અમારા વિભાગપતિ જેલ જાત્રાએ ગયા તે માટે અમે જેકે દિલગીર છીએ તે પણ અમારું ગામ મક્કમ છે. અમારી બહેનોની આ નાની ભેટ સ્વીકારશે. અમારા ગામમાં સરકારી અમલદાર આવીને ખાલસા નોટિસ કાઢી ગયા છે, એથી અમે ખુશી છીએ. મેં મારા ૨૦૪
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy