SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ મું . ન્યાયના ભવાડા - એક મુકદ્મામાં ભવાન હીરા નામના સરળ અને ગરીબ ગાય જેવા ખેડૂત ઉપર સરકારી અમલદાર ઉપર હુમલો કરવાના તથા સાપરાધ બળ વાપરવાના ગુનાનું ૧૮૬ તથા ૩૫૩ એ બે - કલમો મુજબનું તહોમત મૂકવામાં આવ્યું હતું. ભવાનની સ્ત્રીએ તો પોલીસ અમલદારને કહ્યા જ કર્યું કે જમીઅમલદાર આવે ત્યારે બારણું બંધ કરી દેવાં એ જો ગુનો ગણાતો હોય તે. એ ગુને તો મેં કર્યો છે, મારા ધણી તો ગુનાને સ્થળે હાજર પણ નહતો. આરોપીએ તહોમત નાકબૂલ કર્યું. આ એક જ મુક એવો હતો કે જેમાં ફરિયાદપક્ષ તરફથી રજૂ થયેલી હકીકત બધી જ સાચી હોય તો મેજિસ્ટ્રેટના ચુકાદા સામે બહુ વાંધો લઈ ન શકાય. પરંતુ આરપીની સ્ત્રી જ્યારે આખા તહોમતને ભાર પોતાની ઉપર વહોરી લેતી હતી ત્યારે તેને ઇરાદાપૂર્વક સાક્ષી તરીકે ન બોલાવી એટલે પુરાવો બિલકુલ અધૂરો હતો એ તે સ્પષ્ટ જ છે. એક મુકદ્મામાં ગોપાળજી નામના સ્વયંસેવક ઉપર ખાતેદારના ઘરની દીવાલ ઉપરથી ખાલસા નોટિસ ઉખેડી નાંખવાના તહોમત બદલ કામ ચાલ્યું હતું. આરોપીએ પિતાની કેફિયતમાં જણાવ્યું કે નોટિસ દીવાલ ઉપર કાંટા વડે લગાડવામાં આવી હતી તે પવનથી ઊડી ન જાય એટલા માટે જ તેણે ત્યાંથી લઈને ખાતેદાર તરફથી પોતાની પાસે રાખી હતી. પરંતુ આ પ્રમાણે નોટિસ ખસેડવાની ક્રિયાને વિદ્વાન મેજિસ્ટ્રેટ પીનલ કોડની ૧૭૩ મી કલમ મુજબ ગુને ગ અને આરોપીને એક માસની આસાન કેદની સજા કરી! આમ ફરિયાદો માંડવામાં તથા સજાઓ કરાવવામાં પોલીસ અને ન્યાયાધીશ બંને કેવા ભાન ભૂલ્યા હતા તે આ મુકદ્દમાઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. માત્ર એક જ મુકદ્મામાં મૅજિસ્ટ્રેટે પુરાવાના સંપૂર્ણ અભાવના કારણસર એક ખેડૂત ઉપર ફરિયાદ ચલાવવાની ના પાડી અને બે મહિના પછી મુકદ્દમે પોલીસ પાસે પાછો ખેંચી લેવડાવ્યો. ” પણ આ મેજિસ્ટ્રેટ તો ઉપર વર્ણવેલા મુકદ્દમા ચલાવનાર મેજિસ્ટ્રેટથી જુદા અને ઓછી સત્તાવાળા હતા. આ ૨૦૧
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy