________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ - આ આરોપીઓને ઓળખવાની ક્રિયાનું ફારસ વર્ણવવા જેવું છે. એ ક્રિયા “ગુનો” થયા પછી અગિયાર દિવસે થઈ શ્રી. કલ્યાણજીએ તથા શ્રી. વલ્લભભાઈનાં દીકરી કુમારી મણિબહેન પટેલે લોકોને ઘરની બહાર આવવાને ન સમજાવ્યા હોત તો આ ઓળખવાનું કામ તો થઈ જ ન શકત. આ ઓળખવાના ફારસમાં સાક્ષીઓએ ખાદી પહેરેલા માણસને વીણી વીણીને આગળ કર્યા. કલ્યાણજીભાઈ તથા મણિબહેનની સાથે શ્રી વલ્લભભાઈની મોટર સાફ કરનાર હીરજીભાઈ ગયો હતો, અને તે તદ્દન નિર્દોષ જ હતું. તેને ઓળખવા માટે એકઠા કરેલા લોકોમાં ભળી જવાનું ભાઈ કલ્યાણજીએ જાણી જોઈને સૂચવ્યું. વળી આ સ્થાને શ્રી. ભેગીલાલ નામના વિદ્યાપીઠના એક વિદ્યાથી સ્વયંસેવક તરીકે હતા, જોકે “ગુનાને દિવસે તો તે વાંકાનેરમાં પણ નહોતા. હવે પિલા સાક્ષીઓને તો એકઠા થયેલા લોકોમાંથી ગમે તે ખાદીધારીને ચૂંટી કાઢવા હતા એટલે આ વિદ્યાર્થી અને મોટર સાઇ કરનાર બંનેને આરોપીની યાદીમાં આવી જવાની તક મળી !
આ ઓળખવાની ક્રિયાનું ફારસ વધુ ઉઘાડું પાડવાની જરૂર નથી. મુનશી સમિતિ આગળ જુબાની આપનારા ઘણા ગૃહસ્થોએ ઓળખવા માટે સાક્ષીઓ કેવી રીતે ઊભા કર્યા હતા તે બાબત પિતાની જુબાની આપી હતી. આ કેસમાં પાંચ આરોપીઓ ઉપર તો તહેમતનામું જ ન ફરમાવવામાં આવ્યું, ત્રણને મુકદ્દમો ચાલ્યા પછી નિર્દોષ ઠરાવવામાં આવ્યા, અને અગિયારને અમાસની અંધારી રાતને વધારે અંધારી કરે એવા ફાનસ વડે બધાને ઓળખી શકનારા (!) શખ્સની જુબાની ઉપર ૧૪૭, ૩૫૩ તથા ૧૪૯ મી કલમોમાં દર્શાવેલા ગુના માટે છછ માસની સપ્ત કેદની તથા ૩૪૧ મી કલમના ગુના માટે એકએક . માસની આસાન કેદની સજા ફરમાવવામાં આવી. આ વખતે મેજિસ્ટ્રેટસાહેબે કાયદાની કાંઈક કદર કરી અને બન્ને સજાની મુદત એકસાથે ગણાય એવું ફરમાવ્યું. આ અગિયારમાંથી પાંચ જણે ઉપલી કોર્ટને અપીલ કરી, તેમાં ચાર આરોપીઓની સજા તેમનું ઓળખાણ બરાબર સાબિત નહિ થવાના કારણે રદ થઈ હતી !