________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ ઇનકાર ગવર જેવા જવાબદાર માણસ જાણે અસત્યને વખતેાવખત મેલ્યાથી તે નિષ્પક્ષ પંચ નીમવાની શ્રી. મુનશીની પહેલા કાગળમાં તે જણાવ્યું :
પ્રકરણા
હજી પણ કરે છે, કેમ સત્ય ઠરી જતું હેાયની વિન ંતિને વિષે ગવ રે
“વધારે તપાસ થવાથી કશા નવા મુદ્દા નથી નીકળવાના. જમીનમહેસૂલની ફરી આકારણી થઈ તે કેવી રીતે થઈ તેને અભ્યાસ કરવાથી કોઈ પણ ન્યાયબુદ્ધિવાળા માણસની ખાત્રી થશે કે સરકાર વાજબી કરતાં વધારે સારી રીતે અને ઉદારતાથી વર્તી છે. . . . લેાકેાની તકરાર પછી પાછી તપાસ પણ થઈ ચૂકી છે. કારણ રેવન્યુ મેમ્બર મિ.રૂ રજા ઉપર ગયા ત્યારે મિ, હૅચ નામના અતિશય અનુભવી રેવન્યુ અમલદારે તેમની જગ્યા લીધી. મિ. હૅચ નિષ્પક્ષ બુદ્ધિથી બધા કાગળા તપાસી ગયા છે, અને તેમની ખાતરી થઈ છે કે ગણાતા વગેરે બાદ કરીએ તાપણ (કારણ ગણાતાની સામે વાંધે! લેવામાં આવ્યા છે) માલના ભાવ, વેચાણ વગેરે ધ્યાનમાં લેતાં સરકારે જે વધારા સૂચવ્યા છે તે જોઈતા હતા તેના કરતાં આછે! છે, અને જો ફરી તપાસ કરવામાં આવે તે મહેસૂલ કશું ઓછુ થવાને બદલે ઊલટુ વધારે વધવાનું પરિણામ આવશે. હું તમને ખાત્રી આપું છું કે સરકારને એક પણ સભ્ય એવા નથી કે જેની ખાત્રી ન થઈ હોય કે સરકારે વધારેલું મહેસૂલ ન્યાયયુક્ત જ નહિ પણ ઉદારતાભયુ હતુ, ''
પણ લેાકેાને ઉદારતા નહોતી જોઈતી. લેાકેાને તેા ન્યાય જોઈ તેા હતેા. ગવર્નરે તેા કહ્યું: અરે, એવી કમિટી નીમવામાં આવે તે ઊલટા વધારે વધારાની એ ભલામણ કરે. ત્યારે તે તેમણે જરૂર લેાકેાની માગણી તરત સ્વીકારીને લેાકેાને ખેવકૂફ બનાવવા જોઈતા હતા. ખીજા પત્રમાં શ્રી. મુનશીએ લખ્યું :
*
સરકાર જો ખારડાલીના લેાકેાની વાજબી માગણી ન સ્વીકારે તે બારડોલીના લોકોનું નામનિશાન ન રહે અથવા ખુનામરકી થશે. અને અને પિરણામ આવતાં હમેશને માટેનાં દુઃખ અને દર્દીને ડાધ રહી જશે. આપ નામદાર કહેા છે તે વાત સાચી હોય કે નવા વધારા કરતાં સરકાર ન્યાયી નહિ પણ ઉદાર થઈ છે તા તા એ ન્યાયી છે એટલું કબૂલ કરાવવાની તક શા સારુ સરકાર નથી લેતી? ''
૧૯૨