SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહના ઇતિહાસ પ્રકરણ કાયદા થાય ત્યાં સુધી એવાં રિવિઝન સેટલમેટ મુજબ વધારેલા ધારા ન લેવાની સરકારી અમલદારોને સરકાર ભલામણ કરે. ’ આ ઠરાવ પણ ધારાસભામાં પર વિરુદ્ધ ૨૯ મતે પસાર થયે. એ વાતને એક વર્ષ થયું. પેલેા કાયદા તા થાય ત્યારે ખરા, પણ ધારાસભાના ઉપર કહેલા અમે ઠરાવા છતાં સરકાર ઠંડે પેટે અનેક તાલુકાઓનું મહેસુલ વધાયે ગઈ. પેલી મહેસૂલઆકારણીના નિયમે સૂચવનારી કમિટીએ રિપેટ રજૂ કર્યાં, એ રિપેટ ની જે ગતિ થઈ તેના ઇતિહાસ હિંદુસ્તાનના જમીનમહેલના કાળા ઇતિહાસમાં એક વધુ પ્રકરણ ઉમેરે છે. એ કમિટીમાં ૨૨ સભ્યા હતા. તેમાં ત્રણ વિભાગના કમિશનરે। અને -બીજા મહેસૂલખાતાના કેટલાક અમલદારનું એક સપ્તક હતું. એ સપ્તકે કમિટીના ખીજા સભ્યાથી જુદા પડી પેાતાનેા ભિન્નમત રજૂ કર્યું. સરકારે પેાતાના ઠરાવમાં આ સપ્તકના ભિન્નમત સ્વીકારીને જણાવ્યું કે મહેલ ગણાતને જ આધાર રાખીને ઠરાવવું જોઈ એ ! કમિટીએ વધુમતે ઠરાવ્યું હતું કે ખેડૂતને જે ચેાખ્ખા નફો થાય તેના ૨૫ ટકા જેટલા સરકારધારા હોવા જોઈએ, પણ સરકારે પેલા સપ્તકને મત સ્વીકારીને હરાવ્યું કે પ૦ ટકા જેટલેા સરકારધારા લેવાની ‘ ચાલુ ' પદ્ધતિને વળગી રહેવું જોઈ એ ! કમિટીએ ભલામણ કરી હતી કે કાઈ પણ રિવિઝન કરવામાં આવે એટલે તેની તપાસ કરવાને માટે એક કાયમની· એડવાઇઝરી કમિટી ' ( સલાહકાર સમિતિ) નિમાવી જોઈ એ, તે ભલામણ પણ સરકાર ઘેળાને પી ગઈ! કમિટીએ એક વ્યવહારુ અને નિર્દોષ સૂચના કરી હતી કે સેટલમેટ અમલદારે તાલુકા લેાકલ ખેડે નિમેલા ખેડૂતના એ સભ્યાને પોતાની તપાસ દરમ્યાન મદદ માટે સાથે રાખવા. એ સૂચના પણ પેલા સપ્તકના આભપ્રાય સાથે સંમત થઈ તે સરકારે ઉડાવી દીધી ! આમ જોઇટ પાર્લામેટરી કમિટીની ભલામણને અમલ કરવાને માટે નિમાયેલી કમિટીની ભલામણેા સરકાર ગળી ગઈ અને ચાલુ અનિષ્ટ પ્રથાને કાયમ રાખવાને માટે જ પેરવી કરી. આ ૧૪
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy