SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ પ્રકરણ. ઘેર આવીને છૂટા હોય તેટલી ઘડી આંટા મારતા હોય, અને એ દરેક આંટાની સાથે તેમના મગજમાં લડતના ભાવી સ્વરૂપની રૂપરેખા ચીતરાતી હોય. હવે તેમણે એક અટપટા સવાલને સીધે ફડ કરી નાંખવાનું મહત્ત્વનું પગલું લીધું. ઇનામી જમીન, લાંબા પટાની અને બિનખેતીની તથા કિરાયામી જે જમીનનું મહેસુલ વધ્યું નથી તે જમીનને સવાલ જરા અટપટો હતો. એ મહેસૂલ ન ભરવાનું કશું કારણ નહોતું, છતાં શ્રી. વલ્લભભાઈને એ વિષે સ્પષ્ટ સલાહ આપવી મુશ્કેલ લાગ્યા કરતી હતી; કારણ લડતના આરંભમાં કદાચ એ સલાહને અનર્થ થાય, દુરુપયોગ પણ કદાચ કરવામાં આવે, અને તેમ થતાં લડત નબળી પડે એ ભય રહે છે. હવે એ ભય રહ્યો નહોતો, હવે તો ઊલટે ભય એ રહ્યો હતો ખરો કે આ જમીનનું મહેસૂલ ભરી દેવાની સલાહ છતાં લોકો હઠ પકડી કશું ન ભરવાની વાત કરે. પણ સરદારે એક પત્રિકા કાઢીને આવી જમીનનું મહેસૂલ એ જ જમીનને ખાતે જમા લેવામાં આવે અને એની રસીદ મળે એવી શરતે ભરી દેવાના હુકમ કાઢયા.. તાલુકાના ૬ લાખના મહેસૂલમાંથી માત્ર રૂ. ૮,૭૫૬–૧૨–૦નું મહેસૂલ આ ઇનામી વગેરે જમીનને અંગેનું હતું. લેકેના બળની અને એ બળ વિષે સરદારની શ્રદ્ધાની બીજી વધારે ખાતરી કઈ હોઈ શકે? સરદારે લોકોને પિતાની યુદ્ધનીતિનાં રહસ્ય સમજાવવા માંડયાં. ધારાસભાના. સભ્યો આવે, તેમની વાતોથી કાંઈ ભળતી જ અસર થાય, લોકોમાં બુદ્ધિભેદ ઊપજે, એ વિચારથી જ સરદારે અકોટીની એક પ્રસિદ્ધ સભામાં પિતાની યુદ્ધનીતિ વિષે લંબાણથી વિવેચન કર્યું– પ્રજાને માટે અને સરકારને માટે. સરકાર પહેલાં તે આ લડતને ભારે મહત્ત્વ આપતી નહોતી એટલે તલાટીઓ જ સરકારના રિપોર્ટરે હતા, મહિના સુધીમાં ધારેલું ફળ ન આવ્યું ત્યારે સરકારને થયું કે હવે તે લઘુઅક્ષરી રિપોર્ટ મોકલવા જોઈએ. આ રિપોર્ટરના અક્ષરેઅક્ષર રિપેર્ટે સરકાર પાસે જવા લાગ્યા તેથી તે કદાચ સરકાર ચેતવાને બદલે વધારે ચીડાઈ હશે – જોકે
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy