SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ, આચાર્યદેવ શ્રી ભુવનસૂરીશ્વરજી મ. ના પ્રશિષ્ય આ.શ્રી હેમચંદ્રસૂરીજી મહારાજ વગેરેની પાવન નિશ્રા રહી હતી. - શ્રી ગોડીજી પાર્શ્વનાથના સ્તોત્રો અનેક મહાપુરુષોએ રચેલા છે. જેમાં શ્રી કલ્યાણસાગરસૂરીજી મ., આ.શ્રી વિદ્યાસાગરસૂરીજી મ., ૫. શુભ સાગરગણિ, મહોપાધ્યાય યશો વિજયજી મ. સહિત અન્યો છે. મુંબઈ સિવાય દેશના અનેક રાજ્યોમાં શ્રી ગોડી પાર્શ્વનાથના જિનાલયો આવેલા છે. મુંબઈના પાયધુની વિસ્તારમાં આવેલ શ્રી ગોડીજી પાર્શ્વનાથ જિનાલય મુંબઈ સેન્ટ્રલ, ગ્રાંટ રોડ, ચર્ની રોડ, મરીન લાઈન્સ, ભાયખલા, મજીદ બંદર, બોરીબંદર વગેરે સ્ટેશનોથી નજીક થાય છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. વિશેષ જાણકારી (૧) બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં પાલનપુર- રાધનપુર હાઈવે ઉપર થર ગામની બાજુમાં ૩ કિ.મી.ના અંતરે ભવ્ય શિખરબંધી જિનાલયથી શોભતું પ્રભુશ્રી ગોડી પાર્શ્વનાથ દાદાની ભવ્ય પ્રતિમાથી પ્રતિષ્ઠિત થયેલું રૂની તીર્થ આવેલું છે. અવાર-નવાર અહીં પ્રભુ ચિંતામણિ પાર્શ્વનાથ, માતા ભગવતી પદ્માવતીની પ્રતિમાજીમાંથી અમીઝરણાં થાય છે. તેમજ ગૌત્તમસ્વામીજીની પ્રતિમાંથી પણ વાસક્ષેપ ઝર્યાના દાખલા ભૂતકાળમાં નોંધાયા છે. આ ચમત્કારી તીર્થનો ઈતિહાસ પ્રાચીન છે. પારકરના મેઘાશાહ નામનો શ્રાવકે પાટણથી શ્રી હેમચંદ્રાચાર્યે અંજન કરેલા પ્રભુ પાર્શ્વનાથની પ્રતિમા લઈ નગરપારકર પાછા ફરતાં બનાસ નદીના કાંઠે પડાવ નાખી પ્રભુ પાર્શ્વનાથના પ્રતિમાજીને પ્રક્ષાલ પૂજા કરેલી અને પ્રતિમા ઉપાડ્યા બાદ પ્રભુ પાર્શ્વનાથના પગલા સ્વયંભૂ પ્રગટ થયેલા અને જેને નદી કાંઠે દેરી બનાવી સ્થાપના કર્યા બાદ શ્રી ગોડીજી પાર્શ્વનાથ ૧૨
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy