SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આજુબાજુના લોકો ભાવથી પૂજા કરતાં જેના પરિણામે આજુબાજુની તમામ વસ્તીની સુખાકારી વધેલી. સંવત ૧૯૯૭માં બનાસ નદીમાં પુર આવતાં આ પગલાં નદીમાં તણાઈ ગયા અને સંવત ૧૯૯૮માં ભદ્રેવાડી ગામના સુશ્રાવકને સ્વપ્ન આવતાં, સ્વપ્નમાં દર્શાવેલી જગ્યાએ નદીમાં ખોદકામ કરતાં પગલાંની પુનઃ પ્રાપ્તિ થયેલી. ત્યારબાદ પુરની કાયમી ચિંતાથી દૂર રૂની મુકામે આ પગલાંની પ્રતિષ્ઠા કરવામાં આવી, જે અત્યારે આ તીર્થમાં બિરાજમાન છે. આ પ્રાચીન તીર્થમાં પહેલાં ફક્ત આ પગલાનું દેરાસર જ હતું. સંવત ૨૦૪૦માં થરાના ચાતુર્માસમાં પ.પૂ. આચાર્યદેવ શ્રી વિનયચંદ્રસૂરીશ્વરજી મ. ને તમના ગુરૂ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ. નો સ્વપ્ન સંકેત થતાં તેમના શિષ્ય પૂ. આ. દેવ શ્રી કલ્પજયસૂરીશ્વરજી મ. ની આજ્ઞાથી શ્રી થરા સંઘે આ તીર્થના વિકાસનું કાર્ય માથે લઈ પૂ. ભક્તિસૂરી દાદાની ઈચ્છા મુજબ સુંદર તીર્થ નિર્માણ કર્યું છે. અને નૂતન ત્રિશિખર યુક્ત દેરાસરમાં સંવત ૨૦૪૭ના વૈશાખ સુદ૬ના તા. ૧૯-૫-૧૯૯૧ ના શુભ મુહૂર્ત પ્રભુ ગોડીજી પાર્શ્વનાથ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. અહીં ઉતરવા માટે ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ ઉપલબ્ધ જ (૨) અમદાવાદના નવા વિકસેલા સેટેલાઈટ રોડ પર પ્રેરણા તીર્થ આવેલું છે. મૂળનાયક શ્રી ગોડી પાર્શ્વનાથની પ્રતિમા આશરે ૪૦૦ વર્ષ જેટલી પ્રાચીન હોવાનું કહેવાય છે. શહેરના જમાલપુર વિસ્તારમાં ટોકરશીની પોળમાં આ પ્રતિમાજી બિરાજમાન હતા. જૂની ચૈત્યપરિપાટીમાં પણ આ જિનાલયનો ઉલ્લેખ છે. પ.પૂ.આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજના કરકમળો દ્વારા આની પ્રતિષ્ઠા થઈ છે. | (૩) વાવનગરના ભવ્ય મનોહર જિનાલયમાં મૂળનાયક પદે બિરાજમાન શ્રી ગોડી પાર્શ્વનાથજી તે વિલુપ્ત મનાતા મૂળ શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રભુ જ છે. તે હકીકતનું સમર્થન કરતાં સંખ્યાબંધ પુરાવાઓ તાજેતરમાં ઉપલબ્ધ થયા છે. તે શ્રી ગોડીજી પાર્શ્વનાથ - ૧૩
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy