SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્યો અને કાજળશાએ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ થાય તે પહેલાં મેઘાશાને યમસદને પહોંચાડી દીધો. દુષ્ટ પ્રકૃતિના કાજળશા કીર્તિના લોભે મંદિરનું કાર્ય પૂર્ણ કરાવીને પ્રતિષ્ઠા પ્રસંગે ધ્વજારોપણ કરવા આતુર બન્યો. તેણે શિખર પર ધજા ચડાવી પણ ટકી ન શકી. તેણે ત્રણ વાર ધજા ચડાવી પણ ત્રણેય વખત ધજા પડી ગઈ. છેવટે મેઘાશાના પુત્ર મેરાએ ધજારોપણની વિધિ કરી અને મહિમાવંતુ તીર્થ લોકજીભે રમતું થયું. ગોડીપુરના આ પાર્શ્વનાથ ‘શ્રી ગોડી પાર્શ્વનાથ' નામથી જાણીતા થયા. ત્યાર પછી ઠેરઠેર પ્રતિમાજીઓને શ્રી ગોડી પાર્શ્વનાથ નામ અપાવા લાગ્યું. આજે ભારતમાં અનેક સ્થળોએ શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુના ભવ્ય જિનાલયો આવેલાં છે. ગોડીપુરના મહિમાવંત પાર્શ્વનાથજીની પ્રતિમાજી ત્યાંથી અદૃશ્ય થઈને અન્ય કેટલાય સ્થાનોમાં પ્રગટ થયાનું મનાય છે. આજે સિંધ પ્રાંત પાકિસ્તાનમાં છે. પારકરથી લગભગ ૫૦ માઈલ અને ગઢરા રોડથી ૭૦-૮૦ માઈલના અંતરે ‘ગોડી મંદિર’ નામનુ ગામ આજે પણ છે. આ ગામમાં જીર્ણ જિનાલય આજે પણ હોવાનું કહેવાય છે, પરંતુ તે જીર્ણ જિનાલયમાં એકપણ પ્રતિમાજીઓ નથી. હાલમાં તે પ્રતિમાજી ક્યાં પ્રતિષ્ઠિત કરાયા છે તે જાણવા મળતું નથી. મુંબઈના પાયધુની વિસ્તારમાં શ્રી ગોડી પાર્શ્વનાથનું જિનાલય સુવિખ્યાત છે. આ જિનાલયમાં મૂળનાયક તરીકે બિરાજતાં શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અતિ પ્રાચીન છે. અને રાજસ્થાનના હમીરપુરમાંથી તે પ્રતિમાજી લઈ આવવામાં આવી હતી તેમ મનાય છે. હમીરપુર હાલમાં મીરપુર તીર્થ તરીકે જાણીતું છે.. પાયધુની ૫૨ શ્રી ગોડી પાર્શ્વનાથજી જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ વિક્રમ સંવત ૧૮૬૮ના બીજા વૈશાખ સુદ-૧૦ ના બુધવારે સંપન્ન થયો હતો. સંવત ૨૦૪૫માં મૂળનાયકની પ્રતિમાજીનું ઉત્થાપન કર્યા વિના જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. એ દિવસ પણ વૈશાખ સુદ દશમનો હતો. આ પ્રસંગે આચાર્ય દેવશ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ, આચાર્યદેવશ્રી શ્રી ગોડીજી પાર્શ્વનાથ ૧૧
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy