SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ અને વાયુભૂતિના મનનું સમાધાન ભગવાન મહાવીરે કર્યુ અને તેઓ પણ પ્રભુના શિષ્યો બન્યા. ત્યાર પછી અન્ય આઠ વિદ્વાન બ્રાહ્મણો પણ યજ્ઞ છોડીને આવી ગયા અને તેમના મનની શંકાઓ ભગવાન મહાવીરે દૂર કરી. આમ ૧૨ અગિયાર વિદ્વાન પંડિતો પ્રભુના અગિયાર ગણધર બન્યા. ભગવાનના સમસ્ત શ્રમણ સંઘના તેઓ નાયક બન્યા હતા. ગૌત્તમસ્વામીએ દીક્ષા લીધી તે પળથી જ જીવન-સાધના અને શાસન પ્રભાવના એજ એમનું જીવનકાર્ય બન્યું હતું. વૈશાખ સુદી અગિયારસનો એ દિવસ ધન્ય અને યાદગાર બની ગયો. ગુરૂ ગૌત્તમસ્વામી અનેક લબ્ધિઓના સ્વામી બન્યા પણ તેમને મહાવીર સ્વામી પ્રત્યેનો રાગ હોવાથી કેવળજ્ઞાન પામી શકતા નહોતા. ભગવાન મહાવીરનું છેલ્લું ચોમાસુ પાવાપુરીમાં હતું ત્યારે ભગવાને ગૌત્તમની સિધ્ધિ આડેનો નાનો સરખો અવરોધ દૂર કરવા એમને બીજે ગામ મોકલી આપ્યા. શ્રમણ ભગવાને બે દિવસના ઉપવાસનું તપ કરીને અખંડ ધારાએ અંતિમ દેશના આપી. આસો વદ-અમાવસ્યાની મધરાતની ક્ષણ આવી પહોંચી અને ભગવાન આયુષ્યનું બંધન પૂર્ણ કરીને મહાનિર્વાણ પામીને સિધ્ધ, બુધ્ધ, પારંગત, નિરાકાર, નિરંજન બની ગયા. આ તરફ ગૌત્તમસ્વામી દેવશર્માને પ્રતિબોધ કરીને પાવાપુરી પાછા આવી રહ્યાં હતા. ત્યાં અધવચ્ચે સમાચાર મળ્યા કે ભગવાન મહાનિર્વાણ પામ્યા છે. આ સમાચારથી ગૌત્તમ સ્વામી સ્તબ્ધ અને દિમૂઢ બની ગયા. તેઓ વિલાપ કરવા લાગ્યા. છેવટે વીર-વીરનું રટણ કરતાં પ્રભુના વીતરાગ પણાના વિચારો એમના અંતરમાં જાગી ઉઠ્યા. આસોવદ અમાસની પરોઢે ગૌત્તમસ્વામીને કેવળજ્ઞાન ઉપજયું. ભગવાન મહાવીરના મહાનિર્વાણના પુણ્ય સ્મરણની સો ગુરૂ ગૌત્તમસ્વામીના કેવળજ્ઞાનનો પ્રસંગ એકરૂપ બનીને સદા સ્મરણીય બની ગયો. કેવળજ્ઞાન પછી બાર વર્ષ સુધી ગૌત્તમસ્વામી પૃથ્વીને પાવન કરતાં રહ્યાં. બાણું ગુરૂ શ્રી ગૌત્તમસ્વામી ૧૯૧
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy